ફતેહપુરઃયુપીમાં ઘણા દિવસોથી એક વિચિત્ર કિસ્સો ચર્ચામાં છે. ફતેહપુર જિલ્લામાં રહેતા એક યુવકને સાપ વારંવાર કરડી રહ્યો છે. યુવકને 34 દિવસમાં 6 વખત એક નાગણીએ ડંખ માર્યા છે. જેના એક અઠવાડિયા બાદ, શુક્રવારે ફરીથી નાગણીએ તને ડંખ માર્યો. 7મી વખત નાગણીના કરડવાથી યુવકની હાલત નાજુક બની છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
'મે તેરી દુશ્મન...' એક નાગણીએ યુવકને 40 દિવસમાં 7 વાર માર્યા ડંખ, સપનામાં કહ્યું... - snake bite incident
Published : Jul 13, 2024, 11:29 AM IST
|Updated : Jul 13, 2024, 1:42 PM IST
અત્યાર સુધીમાં આપે નાગ-નાગણ સાથે જોડાયેલી ઘણી વાતો અને વાર્તાઓ સાંભળી હશે. કેટલીક વાર્તાઓમાં નાગ-નાગણના વેરના પણ ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. આવી જ એક નાગણીના બદલાની ભાવનાને દર્શાવતી સત્ય કહાની સામે આવી છે. ફતેહપુર જિલ્લાના રહેવાશી વિકાસ દ્વિવેદી નામના યુવકને એક નાગણીએ 40 દિવસમાં 7 વખત ડંખ માર્યા. જાણો વિસ્તારથી આ ખબર... snake bite incident
યુવકનું નામ વિકાસ દ્વિવેદી છે, જે ફતેહપુર જિલ્લાના મલવા પોલીસ સ્ટેશન વિસ્તારના નજીકના સૌરા ગામનો રહેવાસી છે. દર વખતે જ્યારે તેને સાપ કરડે છે ત્યારે વિકાસને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સારવાર બાદ તે સ્વસ્થ થઈને ઘરે જાય છે. જ્યારે વિકાસને છઠ્ઠી વખત નાગણીએ માર્યો ત્યારે તેણે પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું. તેનો દાવો છે કે તેણે તેના સપનામાં આ જ નાગણીને જોઈ હતી. નાગણી તેને 9 વખત કરડશે અને 9મી વખત તેને કોઈ બચાવી શકશે નહીં.
આપને જણાવી દઈએ કે જ્યારે પણ વિકાસને જ્યારે પણ સાપ કરડે છે ત્યારે તેનો પરિવાર તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરે છે. વિકાસનો દાવો છે કે જ્યારે પણ તેને નાગણીએ ડંખ માર્યો છે ત્યારે શનિવાર કે રવિવાર આવ્યો છે. નાગણી કરડે તે પહેલા તેને ખ્યાલ આવે છે કે તેની સાથે કંઈક થવાનું છે.