ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશામાં સરકાર બનતાની સાથે જ ભાજપે પુરુ કર્યુ પોતાનું પહેલું વચન, જગન્નાથ મંદિરના તમામ દ્વાર ખોલ્યા - Sri Mandir Puri

ઓડિશામાં ભાજપની સરકાર બની ગઈ છે. આ સાથે જ પાર્ટીએ પહેલા દિવસથી જ પોતાનું વચન પૂરું કરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં આજે જગન્નાથ મંદિર (શ્રી મંદિર)ના ચારેય દ્વાર ખોલવામાં આવ્યા હતા. 4 gates of Puri Sri Mandir opened for Devotees

By ETV Bharat Gujarati Team

Published : Jun 13, 2024, 10:48 AM IST

Updated : Jun 13, 2024, 11:22 AM IST

જગન્નાથ મંદિરના તમામ દ્વાર ખોલ્યા
જગન્નાથ મંદિરના તમામ દ્વાર ખોલ્યા (Etv Bharat Odisha)

પુરીના શ્રીમંદિરના તમામ દ્વારા ભક્તો માટે ખોલાયા (Etv Bharat odisha)

પુરી: મોહન માઝીની આગેવાની હેઠળની ભાજપ સરકારની રચના સાથે, ઓડિશા સરકાર એક્શન મોડમાં આવી છે. બુધવારે પ્રથમ કેબિનેટ બેઠકના નિર્ણય બાદ મંદિરના 4 દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મોહન માઝી અને તમામ નવા મંત્રીઓએ ભગવાન જગન્નાથની પૂજા કરી હતી. ગઈકાલે સાંજે પ્રથમ કેબિનેટે આ નિર્ણય લીધો અને આજે 5 વર્ષ બાદ મંદિરના 4 દરવાજા ખોલવામાં આવ્યા.

જગન્નાથ મંદિરના તમામ દ્વાર ખોલાયા (Etv Bharat odisha)

મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓની હાજરીમાં પ્રશાસને મંદિરના ચારેય દ્વારા ખોલ્યા હતાં તેની સાથે જ ભક્તો હવે દરેક દ્વારેથી મંદિરમાં પ્રવેશ કરી દર્શન કરવાનું શરૂ થઈ ગયું છે. 5 વર્ષ બાદ મંદિરના ચારેય દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવતા ભક્તો ખુશ છે. માર્ચ 2020 માં કોવિડ પ્રતિબંધો પછી મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. મંદિરની અંદર ભીડને નિયંત્રિત કરવા માટે, રાજ્ય સરકારે ભક્તોને સિંહદ્વારથી જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.

જગન્નાથ મંદિરના તમામ દ્વાર ખોલાયા (Etv Bharat odisha)

બાદમાં, જ્યારે કોવિડ પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા, ત્યારે ભક્તોને મંદિરના સિંહ દરવાજામાંથી જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે સર્વત્ર વિરોધ છતાં રાજ્યની બીજેડી સરકારે તેના પર ધ્યાન આપ્યું ન હતું. જેને લઈને ભક્તોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ભાજપે ચૂંટણીને મુદ્દો બનાવીને ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે તેણે મંદિરના ચારેય દરવાજા ભક્તો માટે ખોલવાનું વચન પૂરું કર્યું.

જગન્નાથ મંદિરના તમામ દ્વાર ખોલાયા (Etv Bharat odisha)

ઓડિશામાં સરકારના શપથ ગ્રહણ બાદ નવા મુખ્યમંત્રી મોહન માઝીએ મંદિરના ચારેય દરવાજા ભક્તો માટે ખોલવાનો આદેશ આપ્યો હતો. આજે ભગવાનના આશીર્વાદ બાદ શ્રી મંદિરના ચારેય દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. સાથે જ ભક્તોની સુવિધા માટે જૂતા સ્ટેન્ડ, પીવાના પાણીની સુવિધા અને કરા અને વરસાદથી રક્ષણ માટે શેડની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ નવા મુખ્યમંત્રીના આવા નિર્ણયને ભક્તો અને સેવાદારોએ આવકાર્યો છે.

  1. મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં જાહેરાત - ODISHA NEW CM MOHAN CHARAN MAJHI
Last Updated : Jun 13, 2024, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details