thumbnail

By

Published : Jun 30, 2022, 1:42 PM IST

ETV Bharat / Videos

Jagannath Rathyatra 2022: લોકગાયિકાએ દર્શન પછી સંભળાવ્યું વિશેષ ગીત

અમદાવાદઃ જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને (Jagannath Rathyatra 2022) માત્ર ગણતરીના કલાક બાકી છે. ત્યારે આજે મંદિરમાં ગુજરાતી લોકગાયિકા વિનિતા પટેલે (Folk Singer Vinita Patel in Jagannath Temple) પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે મંદિરમાં ગાયની પ્રતિમા પણ ભેટમાં આપી હતી. આ પ્રસંગે લોકગાયિકા વિનિતા પટેલે (Folk Singer Vinita Patel in Jagannath Temple) ETV Bharat સાથેની વાતચીતમાં એક સુંદર ગીત પણ ગાયું હતું. આ ઉપરાંત અહીં અમદાવાદ શહેર અખાડા નંબર 10ના પ્રમુખ દિનેશ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આખરે 2 વર્ષ પછી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ (Jagannath Rathyatra 2022) નીકળશે. તેવામાં અખાડા એસોસિએશનમાં ભારે ઉત્સાહ (Extreme enthusiasm in the arena association) જોવા મળી રહ્યો છે. સાથે જ આ રથયાત્રામાં બજરંગ અખાડા નંબર 10 દ્વારા અનેક કરતબો રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Jagannath Rathyatra 2022) યોજાવા જઈ રહી છે. તેવામાં ભક્તો, નેતા, સાધુસંતોમાં તેને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા પહેલાં પણ અનેક ભક્તો ભગવાનના દર્શનનો લ્હાવો લઈ ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.