ભાવનગર: અલંગના ઉદ્યોગપતિ પર થયેલા હુમલાને લઈ વેપારીઓમાં ભારે રોષ - latestbhavnagarnews

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 14, 2019, 6:27 AM IST

Updated : Nov 14, 2019, 9:48 AM IST

ભાવનગર: શહેરના બુધેલ નજીક અલંગના અગ્રણી ઉદ્યોગપતિઓ પર બુધેલના પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને સાથીઓ દ્વારા હુમલો કરી માર મારવાની ઘટનામાં વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેપારીઓ રાત્રે 12 વાગે કલેકટર કચેરીએ વેપારીઓ ઉમટી પડયા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં આરોપીઓને ઝડપી લેવા કે, તેમની સામે ભુતકાળના ગુનાઓને ધ્યાનમાં રાખીને પાસા હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં તંત્ર કોઈ કડક કાર્યવાહી નહી કરે તો મોટી રેલી રૂપાણી સર્કલથી કલેકટર કચેરી સુધી યોજી ધરણા કરવામાં આવશે. આ ઉપરાંત અલંગ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ, ચેમ્બર ઓફ કોમર્સ, રોલિંગ મિલ એસો, સ્ક્રેપ એસો સહિતના તમામ બંધ પાળી રેલીમાં જોડાઈ રોષ વ્યકત કરશે.
Last Updated : Nov 14, 2019, 9:48 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.