thumbnail

વડોદરા ગોમતીપુરા નાકા પાસે વીજ કંપનીના ખોદકામથી પાણીની લાઇનમાં ભંગાણ, લોકોને હાલાકી

By

Published : Feb 13, 2020, 7:45 PM IST

વડોદરા: ગાજરાવાડી રામનાથ સ્મશાન પાસે આવેલા ગોમતીપુરા નાકા પાસે વીજ કંપનીના આડેધડ ખોદકામને કારણે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. જયારે સવારે પાલીકા દ્વારા વિસ્તારમાં પાણી પુરવઠો શરૂ કરાતા લાઇનમાં ભંગાણને કારણે 5 થી 6 ઊંચા ફુવારા ઉડયા હતા. તેમજ રોડ પર પાણી પાણી થઇ ગયુ હતું. જેને લઇ હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો. આ સાથે મસ મોટા ભૂવો પડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે પાલિકા તંત્ર આ સમસ્યા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.