thumbnail

By

Published : May 19, 2021, 5:50 PM IST

Updated : May 19, 2021, 8:23 PM IST

ETV Bharat / Videos

તૌકતે વાવાઝોડાએ જગતના તાતને કર્યા બેહાલ

ન્યૂઝ ડેસ્ક: 17 મે ની રાત્રે ગુજરાતના દરિયાકાંઠેથી ત્રાટકનારા તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ભારે તારાહી સર્જી છે. વાવાઝોડાથી સૌથી વધારે નુક્સાન જગતના તાત એટલે કે ખેડૂતોને ભોગવવું પડ્યું છે. ગુજરાતની પ્રખ્યાત એવી કેસર તેમજ હાફૂસ કેરીના પાકને વ્યાપક નુક્સાન પહોંચ્યું છે. સામાન્ય રીતે ખેડૂતો મે મહિનાના અંત સુધીમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં લણણી કરતા હોય છે. જોકે, તેના ગણતરીના દિવસો અગાઉ જ ત્રાટકેલા વાવાઝોડાએ ખેડૂતો દ્વારા પૂરતી તકેદારી રખાઈ હોવા છતાં પાકને મોટાપાયે નુક્સાન પહોંચ્યું છે. જેના કારણે જગતનો તાત બેહાલ થઈ ગયો છે.
Last Updated : May 19, 2021, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.