JEE અને NEETની પરીક્ષા મુદ્દે બનાસકાંઠાના લોકોની પ્રતિક્રિયા
બનાસકાંઠા: હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના વાઇરસની મહામારી એટલી ભયંકર છે કે, તેનું સંક્રમણ ન વધે તે માટે દેશમાં તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં દેશમાં રાષ્ટ્રીય પરીક્ષાઓ જેવી કે JEE અને NEET યોજાનારી છે. જેને લઇ વિપક્ષો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે બનાસકાંઠામાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો હતો.