ગાંધીધામમાં અગ્રવાલ સમાજ દ્વારા રામકથાનું આયોજન
ગાંધીધામ: ઓસ્લો સર્કલ ખાતે સેક્ટર-4મા આવેલા અંબાજી મંદિરના હોલમાં અગ્રવાલ સમાજ દ્વારા સંત વિજય કૌશલ મહારાજના સાનિધ્યમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આગામી 24 નવેમ્બર સુધી દરરોજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી આ રામકથાનું અમૃતપાન ભાવિકો કરી શકશે. રામકથાના આયોજન અગ્રવાલ સમાજના પ્રમુખના જણાવ્યા પ્રમાણે આજના વ્યસ્ત જીવનમાં ધાર્મિક કાર્યો માટે લોકો પોતાનો સમય કાઢી શકે અને રામકથાનું પાન કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગીતા અને રામાયણના સંસ્કારો યુવાનો અનુસરે તેવી ભાવનાથી આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.