thumbnail

By

Published : Jul 31, 2020, 6:49 PM IST

ETV Bharat / Videos

કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવા મુદ્દે રાજકોટ કોંગ્રેસનો હલ્લાબોલ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા કોરોના દર્દીના નામ જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. જેને લઇને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મનપા કમિશ્નરને 3 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, જો કોરોના દર્દીના નામ-સરનામાં જાહેર નહીં કરવામાં આવે તો, શહેર કોંગ્રેસ કમિશ્નર ચેમ્બરમાં ધરણાં કરશે. આ 3 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતાં શુક્રવારે રાજકોટ શહેર કોંગ્રેસ ફરી કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યું હતું. જો કે, કોંગ્રેસના નેતાઓ ચેમ્બરમાં ધરણાં કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કોંગી કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.