વડોદરાઃ વિશ્વ કોરોના મુક્ત થાય તેવા હેતુથી કોરોના મહામારી વિનાશ મહાયંત્રનું આયોજન - make world corona free
🎬 Watch Now: Feature Video

વડોદરા : વિશ્વ કોરોનાં મુક્ત થાય તે માટે કોરોના મહામારી વિનાશ મહાયંત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા ઉદ્યોગ નગર ખાતે માલીની શાહ દ્વારા શનિવારે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રોચ્ચાર સાથે વિવિધ ઔષધિ યુક્ત વનસ્પતિઓની આહૂતિ, હોમ થકી વાતાવરણ શુદ્ધ બને તથા મંત્રશક્તિ થકી શહેરના લોકો સુરક્ષિત રહે તે હેતુસર આ હોમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તથા ડૉ. જ્યોતિર્નાથજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.