thumbnail

પંચાસર પ્રાથમિક શાળાના શિક્ષકની દાદાગીરી, નોકરીમાંથી બરતરફ કરાયો

By

Published : Jun 30, 2020, 10:28 PM IST

Updated : Jun 30, 2020, 10:35 PM IST

મોરબીઃ જિલ્લાની પંચાસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રહલાદસિંહ અનોપસિંહ જાડેજા શિષ્યવૃત્તિ પરીક્ષામાં જ્ઞાનપથ વિદ્યાલયમાં ફરજ પર હતા, ત્યારે રોહિત આદ્રોજા નામના સરકારી શિક્ષકે અંદર પ્રવેશ કરવા બાબતે માથાકૂટ કરી હતી અને ફરજ પરના શિક્ષકને ગાળો આપી માર માર્યો હતો. આ બનાવ સમયે DPEO મયુર પારેખ દ્વારા ઇન્દીરાનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રોહિત આદ્રોજાને સસ્પેન્ડ કરાયા હતા અને ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન રોહિત આદ્રોજાને નોટીસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. જો કે શિક્ષકે જવાબ આપવાની તસ્દી લીધી ના હોય જેથી ખાતાકીય તપાસ બાદ DPEO મયુર પારેખ દ્વારા આજે મંગળવારે સરકારી શિક્ષક રોહિત આદ્રોજાને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, સરકારી શિક્ષક ગમે તે ઘટક સંઘ સાથે જોડાયેલ હોય પરંતુ સૌપ્રથમ શિક્ષક છે જેથી જાહેરમાં શિક્ષકને શોભે તેવું વર્તન કરવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું.
Last Updated : Jun 30, 2020, 10:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.