રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોએ કર્યો ચક્કાજામ

By

Published : Mar 15, 2020, 4:03 PM IST

thumbnail

રાજકોટઃ ઉનાળો અવતાની સાથે જ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં પાણીની સમસ્યા જોવા મળે રહી છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલા મઘરવાડા ગામના લોકો દ્વારા પાણીની સમસ્યાને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોને ઉનાળાની શરૂઆત પહેલાં જ પાણી નહીં મળતું હોવાના કારણે વિરોધના ભાગરૂપે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તંત્ર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રસ્તે ચક્કાજામ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને સ્થાનિકોને સમજાવ્યા હતા. ત્યાર બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.