ડાંગના માલેગામ વિદ્યા મંદિરના ગુરુ પી.પી. સ્વામીનો વિશેષ સંદેશ, જુઓ વીડિયો
ડાંગ: સાપુતારાની તળેટીમાં આવેલા માલેગામની પ્રયોશ પ્રતિષ્ઠા વિદ્યા મંદિરના ગુરુ પી.પી. સ્વામીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિષ્યોને ખાસ સંદેશો આપતાં જણાવ્યું કે, ગુરુ પૂર્ણિમાએ આધ્યાત્મિક તહેવાર છે, પણ લૌકિક રીતના આગળ વધવા માંગતા હોય તો જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુની જરૂર રહે છે. શિક્ષા, વેપાર, નોકરી, ધંધો, વગેરેમાં માણસની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ જ આગળ લઈ જાય છે. અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે.