વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જામનગરમાં પર્યાવરણ પ્રેમીઓએ માળા અને કૂંડા વિતરણ કર્યા

By

Published : Mar 20, 2021, 4:19 PM IST

Updated : Mar 20, 2021, 5:07 PM IST

thumbnail
જામનગર: 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચકલીએ દુર્લભ થતું પક્ષી છે. પર્યાવરણ પ્રેમીઓ પક્ષી બચાવો તેમજ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરતા હોય છે. ચકલીઓની સંખ્યા દિવસે-દિવસે ઘટતી જાય છે ત્યારે જામનગર ડિકેવી સર્કલ પાસે પર્યાવરણ પ્રેમીઓએ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા અને કૂંડા વિતરણ કરવામાં આવ્યા છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દર વર્ષે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવતું હોય છે. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન, કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા તેમજ ડેપ્યુટી મેયર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Mar 20, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.