અંકલેશ્વરના દીણોદ ગામની સીમમાંથી દીપડી પાંજરે પુરાઈ - અંકલેશ્વર ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 5, 2020, 5:25 PM IST

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં ભરણ ગામમાં દીપડાના આતંકને પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે પહેલા બાળક અને ત્યાર બાદ મહિલા પર દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જે બાદ માંગરોળ તાલુકાનાં દિણોદમાં દીપડાએ દેખા દેતાં ગ્રામજનો ભયભીત બન્યા હતા. જેને પગલે વન વિભાગની ટીમે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. તે દરમિયાન દિણોદના જાનવી ફાર્મ હાઉસમાંથી દોઢ વર્ષની દિપડી પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાતા માંગરોળ રેંજના RFO અને વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડીને જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.