thumbnail

By

Published : Sep 15, 2020, 2:41 AM IST

ETV Bharat / Videos

ધરમપુરમાં દુકાનો ખુલવાના સમયમાં ફેરફાર, વેપારી મંડળ દ્વારા લેવાયો નિર્ણય

વલસાડઃ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 1,000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે કારણે વેપારી મંડળ દ્વારા તારીખ 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી બજારમાં દુકાન ખોલવાનો સમય સવારે 7 કલાકથી બપોરે 3 કલાક સુધીનો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં રોજના 5થી 7 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. જેને ધ્યાને રાખીને ધરમપુર વેપારી મંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લોકોએ પણ આવકાર્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.