અમદાવાદના જગન્નાથ મંદિરના મહંતની અપીલ, લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહે - અમદાવાદના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે સરકાર દ્વારા નાગરિકોને ઘરે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સરકારે અપીલ કર્યા છતાં લોકો ઘરની બહાર નીકળતા જોવા મળે છે. જેથી અમદાવાદ ખાતેના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે લોકોને રાષ્ટ્રીય મહામારીમાં સરકારે સૂચવેલા પગલાઓને સહકાર આપવાની અપીલ કરી હતી.