ગોંડલ સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરે દાખલો ન કાઢી અપતા લોકોમાં રોષ
રાજકોટઃ જિલ્લાની ગોંડલ સરકારી દવાખાને લોકોને પેન્શન માટે ઉંમરનો દાખલો અને વિકલાંગ લોકોને વિકલાંગનો દાખલો કાઢી આપવા માટે સોમવાર તેમજ ગુરૂવારે સવારે 11 થી 12 એક જ કલાકનો સમય નક્કી કર્યો છે. આ સમયે પણ સરકારી તબીબ દ્વારા લેખિતમાં દાખલો કાઢી આપવાની ના પાડી દેવાતા લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે. અનેક ફરિયાદને લઇ તાલુકાના ભરૂડી ગામના ઉપસરપંચ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, દિગ્વિજય સિંહ જાડેજા સહિતનાઓ સરકારી દવાખાને ધસી આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે દાખલો ન કાઢતા મામલો હોસ્પિટલના અધિક્ષક સુધી પહોંચ્યો હતો.