દાંતા તાલુકાના પાન્છા ગામે પાંચ દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું - Pancha village of Danta taluka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 7, 2020, 3:16 AM IST

બનાસકાંઠા : અંબાજીના કુંભારિયામાં ચાલતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની NSS દ્વારા દાંતા તાલુકાના આદિવાસી વિસ્તાર પાન્છા ગામે પાંચ દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ 28મી શિબિરને અંબાજી મંદિરના વહીવટદાર અને નાયબ કલેકટર એસ.જે ચાવડા તથા પાન્છાના સરપંચે દીપ પ્રગટાવીને ખુલ્લી મૂકી હતી. આ આદિવાસી વિસ્તારમાં 98% જેટલા વનવાસી લોકો વસવાટ કરે છે. જે ખેતી અને છૂટક મજૂરી કરી પોતાના ઘર ચલાવે છે. જેના કારણે શિક્ષણનું પ્રમાણ નિમ્ન રહ્યું છે. આ શિબિરમાં ખાસ કરીને સ્વચ્છતા અભિયાન, કુટુંબનિયોજન, મતદાન જાગ્રૂતિ, અંધશ્રધ્ધા, રોગ નિદાન કેમ્પ ,વ્યસનમુક્તિ જેવા કાર્યો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.