લોકસભા ચૂંટણી પહેલા નર્મદામાં રાજકીય ગરમાવો, મનસુખ વસાવાએ આપ પર પ્રહારો કર્યા - રાજપીપળાના ધારાસભ્ય ચૈતર વસાવા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-12-2023/640-480-20233177-thumbnail-16x9-vasava.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Dec 10, 2023, 5:07 PM IST
નર્મદા : રાજપીપળાના ધારાસભ્ય ચૈતર વસાવાની સમર્થક એક મહિલાએ ધારાસભ્ય સામે થયેલી ફરિયાદ માટે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાને જવાબદાર ઠેરવી મનસુખ વસાવાએ પોતાની અટક બદલીને મોદી કરી દેવી જોઇએ. આવી ટીપ્પણી સોશિયલ મિડિયામાં કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
આપ પર પ્રહારો કર્યા : દેડીયાપાડાના ગંગાપુર ખાતે ભારત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, જો ચૈતર નિર્દોષ છે તો કેમ છુપાઈ ને ફરે છે સામે આવે અને પુરાવા આપે. બીજી તરફ એક મહિલાએ ટીપ્પણી કરી કે સાંસદ મનસુખ વસાવા પોતાની અટક બદલી મોદી અટક રાખે તેવી પોસ્ટ કરી હતી. તેનો જવાબ આપતા સાંસદે કહ્યું હતું કે, હું શું કામ અટક બદલું કહી મહિલાને આગળ કરી આમઆદમી પાર્ટી વાળાઓ કોમેન્ટો અને પોસ્ટ કરાવી રહ્યાં છે.