યોગીએ ગોધરામાં આપ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

By

Published : Nov 30, 2022, 10:54 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail
પંચમહાલ : ગોધરા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર સી.કે. રાઉલજીના પ્રચાર માટે  યોગી આદિત્યનાથએ ગોધરા ખાતે રોડ શો કાર્યક્રમ યોજાયો હતો. સરદારનગર ખંડથી ચર્ચ સર્કલ, પાંજરાપોળ કલાલ દરવાજા (Yogi Adityanath Road show in Godhra) થઈને લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ મેદાન સુધી રોડ શો યોજાયો હતો, ત્યારબાદ લાલબાગ ટેકરીના ગ્રાઉન્ડ (Yogi Adityanath sabha in Godhra) ખાતે જાહેર સભા સંબોધી હતી. રોડ શો દરમિયાન યુપીના મુખ્યપ્રધાન યોગીની એક ઝલક નિહાળવા માટે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની ભારે ભીડ જામી હતી. જય શ્રી રામના ગગન ચુંબી સૂત્રોચાર અને પોલીસ બંદોબસ્ત સાથે યોગી આદિત્યનાથનો રોડ શો કાફલો લાલબાગ મેદાન ખાતે પહોંચ્યા હતા. જ્યાં જાહેર સભા સંબોધતા યોગીએ ગોધરાને રામ મંદિર માટે બલિદાન આપનારની ધરતી કહી હતી. યોગીએ પોતાના પ્રવચનમાં ગોધરાની ધરતીને રામ મંદિર માટે બલિદાનની ધરતી કહી હતી. સાથે સાથે ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું હતું. ગુજરાતમાં સર્વે પ્રમાણે ભાજપની મોટી જીત થનાર છે અને ભાજપની જ સરકાર બની રહી છે એમ જણાવ્યું હતું સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Yogi Adityanath attacks Congress) સતા પર હોત તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ક્યારેય ન થયું હોત તેમ જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.