ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં મણિનગરવાસીઓની આશા અને અપેક્ષા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે Etv Bharat આપને દરેક વિધાનસભાની ચુંટણી પરની ચર્ચા(Etv Bharat Chuntani Charcha) લઇને આવ્યું છે. આજે વાત કરવાની છે, અમદાવાદ શહેરની તેમજ મણિનગર વિધાનસભા જે હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લા 22 વર્ષમાં એકપણ વખત કોંગ્રેસ અહીં જીત મેળવી શકી નથી. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગર લક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Maninagar chuntni charcha) કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Mp modi Election seat) પણ મણિનગર વિધાનસભાથી 3 વખત ચુંટાઇને આવ્યા છે. મતદારોનું માનવું છે કે, આ વિસ્તારનો યોગ્ય વિકાસ કરી શકે તેવો ઉમેદવાર ચૂંટીશું. મતદારો પોતાના મંતવ્યો (Maninagar public mood) થકી ચૂંટણી ચર્ચામાં સહભાગી થયા હતા, ત્યારે આવો જાણીએ આવનાર ગુજરાત વિધાનસભામાં સરકાર પાસે કઇ આશા, અપેક્ષા રહેલી છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST