thumbnail

By

Published : Sep 9, 2020, 3:22 PM IST

ETV Bharat / Videos

કરણી સેનાની ચીમકી, મુંબઈ પોલીસ અથવા BMC દ્વારા રોકવામાં આવશે તો ચક્કાજામ કરાશે

સુરતઃ સંજય રાઉતના વિવાદિત નિવેદન બાદ બુધવારે કંગના રનૌત ગણતરીના કલાકોમાં મુંબઈ પહોંચી છે. ત્યારે તેના રક્ષાકવચ બનીને દક્ષિણ ગુજરાત કરણી સેનાના સભ્યો એરપોર્ટ પહોંચ્યા છે અને એરપોર્ટથી કંગનાના ઘર સુધી તેઓ સાથે રહેશે. દક્ષિણ ગુજરાત કરણી સેનાની 50 ગાડીનો કાફલો ઢોલ-નગારા સાથે રવાના થયો હતો. આ સાથે હાથમાં તલવાર લહેરાવી રવાના થયા હતા. આ સાથે કરણી સેનાએ કંગનાના પક્ષમાં જણાવી દીધું છે કે, જો મુંબઈ પોલીસ અથવા BMC તેમને રોકવાનો પ્રયત્ન કરશે તો તેઓ ચક્કાજામ કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.