![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11984326-thumbnail-3x2-kal.jpg)
ભગવાન કાળ ભૈરવને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. કાળ ભૈરવ જયંતીને કાલાષ્ટમી કહે છે. કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે. જેનાથી મંગળ, શનિ કે રાહુ-કેતુના ખરાબ પ્રભાવની મુક્તિ મળે છે. વ્યક્તિ ભયમુક્ત થાય છે. અને તેના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. કાળ ભૈરવ વિષે કહેવાય છે કે તે ભગવાન શિવના ક્રોધથી જન્મ્યા છે.