જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો
નવી દિલ્હીઃ જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે. જે ગુજરાત સહિત ભારતની એક માત્ર આયુર્વેદિક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થા એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે. જ્યાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધનનું કાર્યનું સંચાલન કરવામાં આવે છે. હવે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં આવેલી જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો આપવામાં આવશે.
Last Updated : Jan 8, 2020, 3:21 PM IST