આસામમાં પૂરને લીધે જનજીવન ખોરવાયું, જુઓ દયનીય દ્રશ્યો
આસામઃ રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસથી પૂરની સ્થિતિ યથાવત છે. બ્રહ્મપુત્રા નદી ભયના સ્તરે વહી રહી છે. જેના કારણે 27 જિલ્લાના લગભગ 4,62,777 લોકો અસરગ્રસ્ત થયા છે. ધેમજી, લખીમપુર, બિસ્વનાથ, ઉદલગુરી, દારંગ, નલબારી, બારપેટા, ચિરાંગ, બોન્ગાગાંવ સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે, ત્યારે મૃત્યુઆંક 68 પહોંચ્યો છે. હાલ તંત્રએ તમામ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી હાથ ધરી છે.
Last Updated : Jul 16, 2020, 1:02 PM IST