રાજસ્થાનમાં લગ્ન પ્રંસગ માતમમાં ફેરવાયો, બસ નદીમાં ખાબકતા 24ના મોત
કેશવરાય- રાજસ્થાનઃ રાજસ્થાનના કેશવરાવ પાટણ વિસ્તારમાં લગ્ન પ્રંસગમાંથી પાછી ફરી રહેલી બસ નદીમાં ખાબકતા 24થી વધુ લોકોના મોત થયા છે. જે બસમાં આશરે 50થી 60 લોકો સવાર હતા. બસ નદીમાં ખાબકતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત બસ ડ્રાઇવરને ઉંધ આવવાને કારણે થયો હતો. આ દુર્ઘટનામાં ઘાયલોને નજીકની હોસિપ્ટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
Last Updated : Feb 26, 2020, 12:31 PM IST