ETV Bharat / sukhibhava

તંદુરસ્ત શરીર માટે પહેલી આવશ્યકતા: ભરપૂર Protein

author img

By

Published : Jul 31, 2021, 4:45 PM IST

ચિકિત્સકો કોવિડ ( Covid19) પછી શરીર અને આરોગ્યની ઝડપી રીકવરી માટે ઉચ્ચ પ્રોટીન ( Protein ) આહારની ભલામણ કરી રહ્યાં છે. પ્રોટીન માત્ર કોવિડ પછી જ નહીં, સામાન્ય સ્થિતિમાં પણ તંદુરસ્ત શરીર માટે જરૂરી માનવામાં આવે છે. પ્રોટીનનું મહત્વ સમજવા માટે દર વર્ષે 24થી 30 જુલાઈ સુધી પ્રોટીન સપ્તાહ ઉજવવામાં આવે છે.

તંદુરસ્ત શરીર માટે પહેલી આવશ્યકતા: ભરપૂર Protein
તંદુરસ્ત શરીર માટે પહેલી આવશ્યકતા: ભરપૂર Protein
  • પ્રોટીન સપ્તાહની ઉજવણીમાં જાણો મહત્વની વાત
  • શરીરની તંદુરસ્તી માટે ભરપૂર પ્રોટીન છે જરુરી
  • શેમાંથી મળશે સારું પ્રોટીન તે જાણો ETV Bharat Sukhibhav પાસેથી

ન્યૂઝ ડેસ્ક: આપણે માતા અને દાદીને દૂધમાંથી પનીર અથવા દહીં બનાવતા જોયાં છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમાં પાણી જેવો પદાર્થ શું છે? પનીર બનાવ્યા પછી ઘણી વખત તેને કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે અથવા દહીં સેટ થયા બાદ બાકી રહેલું પાણી દેખાય છે. તે વાસ્તવમાં શુદ્ધ પ્રોટીન છે જે પ્રક્રિયા દરમિયાન ફિલ્ટર થઈ જાય છે. તે ઝડપી પાચન વર્ગ સાથે સંકળાયેલ પ્રોટીન ( Protein ) છે જે માનવ શરીર સરળતાથી શોષી શકે છે અને તેનો લાભ મેળવી શકે છે.

આપણો ભારતીય શાકાહારી આહાર સામાન્ય રીતે પ્રોટીન ( Protein ) સ્ત્રોતોની ઓછી માત્રાનો ઉપયોગ કરે છે. એક સરળ દૈનિક ભોજનના પોષણ મૂલ્યને હકારાત્મક રીતે વધારવા માટે પનીર બનાવ્યા બાદ બાકી રહેલું પાણી ફેંકી દેવાને બદલે અથવા દહીંની ઉપર નાંખી પાણીનો ઉપયોગ કરી શકાય છે. લોટ બાંધો તેમાં પણ ભેળવી શકો. એટલું જ નહીં, તેનો ઉપયોગ દાળ, શાકભાજી, સૂપ અને ચોખા અને પાસ્તા રાંધવા માટે પણ થઈ શકે છે.

દરરોજ કેટલી માત્રામાં પ્રોટીનની જરૂર છે

કન્સલ્ટન્ટ ડાયેટિશિયન વંદના કાકોટકરના જણાવ્યા મુજબ વ્યક્તિને સામાન્ય રીતે તેના વજનના કિલોગ્રામ દીઠ 0.8 થી 1.0 ગ્રામ પ્રોટીનની ( Protein ) જરૂર હોય છે. ઉદાહરણ તરીકે, 50 કિલો વજન ધરાવતી વ્યક્તિને દરરોજ 40-50 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. શાકાહારી વ્યક્તિની કઠોળ, અનાજ (ચોખા, જુવાર, ઘઉં, વગેરે) ના 2 થી 3 વાટકા અને દિવસ દરમિયાન 1 થી 2 ગ્લાસ દૂધ અથવા તેમાંથી બનાવેલ ઉત્પાદનોનું સેવન કરીને જરુરિયાત પૂર્ણ થઈ શકે છે. બીજી બાજુ, માંસાહારી લોકો માછલી, ચિકન, દરરોજ 2 ઇંડા અને ચોખા અથવા ચપાતી જેવા અનાજ દ્વારા શરીરમાં પ્રોટીન સપ્લાય કરી શકે છે.

કુદરતી સ્ત્રોતોમાંથી પ્રોટીન

પશુઓમાંથી મેળવી શકાતું પ્રોટીન: દૂધ અને દૂધના ઉત્પાદનો, ઇંડા, માછલી, ચિકન, માંસ વગેરે. આ બધામાં આવશ્યક એમિનો એસિડ હોય છે અને તેને સંપૂર્ણ પ્રોટીન અથવા ઉચ્ચ જૈવિક મૂલ્ય પ્રોટીન ( Protein ) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

વનસ્પતિ સ્રોતોમાંથી પ્રોટીન: નટ્સ (ડ્રાય ફ્રુટ્સ), કઠોળ, સોયાબીન, દાળ, મશરૂમ્સ વગેરે. તેમાં એમિનો એસિડની જરૂરી માત્રા ન હોવાથી તેઓ અધૂરા પ્રોટીન અથવા ઓછા જૈવિક મૂલ્યના પ્રોટીન ( Protein ) તરીકે ઓળખાય છે.

પરંતુ જ્યારે આ બંને પ્રકારના અધૂરા પ્રોટીન ( Protein ) એકસાથે ખાવામાં આવે છે, ત્યારે તેઓ એકબીજાના પૂરક તરીકે કામ કરે છે અને શરીરમાં આવશ્યક એમિનો એસિડની ઉણપ પૂરી કરે છે. ઉદાહરણ તરીકે, કઠોળનું સામાન્ય મિશ્રણ ચોખા અને દાળ અથવા ખીચડી હોઇ શકે.પશુ પ્રોટીનની સરખામણીમાં પ્રોટીનના શાકાહારી સ્ત્રોતોમાં ઓછી સંતૃપ્ત ચરબી હોય છે અને કોલેસ્ટ્રોલ હોતું નથી, તેના વપરાશથી ડાયેટરી ફાઇબર, એન્ટીઓકિસડન્ટ અને ફાયટોકેમિકલ્સના વધારાના ફાયદો થાય છે. દરરોજ બપોરના અને રાત્રિભોજનમાં 1 વાટકી કઠોળ અને 1 વાટકી શાકભાજી સાથે રોટલી અથવા ચોખા ખાવાથી શરીરની પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય છે.

સોયાનો લોટ ઘઉંના લોટ સાથે 1: 4 ના ગુણોત્તરમાં ભેળવીને વાપરવાથી રોટલીમાં પ્રોટીનનું પ્રમાણ વધે છે.

નિયમિત ધોરણે પ્રાણીજ પ્રોટીનનો ( Protein ) વપરાશ ટાળવો જોઈએ. તેના બદલે, છોડના પ્રોટીનનું પણ સેવન કરી શકાય છે કારણ કે તે માંસાહારી ખોરાકના વધુ પડતા ઉપયોગથી થતી સમસ્યાઓથી બચાવી શકે છે. આ સંદર્ભે વધુ માહિતી આપતા આયુર્વેદિક ચિકિત્સક ડો. P V રંગનાયકુલુ જણાવે છે કે પ્રકૃતિમાં કુલ 20 પ્રકારના એમિનો એસિડ ( Amino acids ) મળે છે. જેને જીવનના નિર્માણખંડના રુપે પણ ઓળખવામાં આવે છે. એમિનો એસિડ અસંખ્ય પ્રોટીન બનાવે છે જે ત્વચા, વાળ, સ્નાયુઓ, હાડકાં વગેરે બનાવે છે. પ્રોટીન વિના જીવનની કલ્પના કરી શકાતી નથી.

ડો. P V રંગનાયકુલુ જણાવેે છે કે સિસ્ટીન, ગ્લુટામાઇન, લાઇસિન, આર્જીનાઇન અને કેટલાક અન્ય એમિનો એસિડને ( Amino acids ) આવશ્યક એમિનો એસિડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જે માંસ અથવા ઇંડાના વપરાશમાંથી મેળવી શકાય છે. એલેનાઇન, ગ્લાયસીન, ટાયરોસિન, એસ્પાર્ટેટ વગેરે બિનજરૂરી એમિનો એસિડ છે જે આપણે આપણા શરીરમાં જ કાર્બોહાઇડ્રેટ અથવા ચરબીમાંથી સંશ્લેષણ કરી શકીએ છીએ.

સંપૂર્ણ પ્રોટીનના સ્ત્રોત

1.ચોખા અને દાળ

2. આખા અનાજની બ્રેડ પર પીનટ બટર સેન્ડવીચ

3. આખા અનાજ સાથે બ્રેડ

4. કઠોળ અને મેવા અથવા બીજમાંથી બનાવેલ સલાડ

5. સૂર્યમુખીના બીજ અથવા બદામ સાથે દહીં

ડો. રંગનાયકુલુ સમજાવે છે કે આયુર્વેદના સાહિત્યમાં ભલે વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને માછલીઓનું માંસ ખાવાની ભલામણ કરવામાં આવી હોય, પરંતુ ધાર્મિક માન્યતાઓના પ્રભાવને કારણે આયુર્વેદમાં લાંબા સમયથી શાકાહારને પ્રાધાન્ય અપાય છે. આથી આયુર્વેદમાં સારા સ્વાસ્થ્ય માટે અને શરીરમાં પ્રોટીન ( Protein ) સપ્લાય માટે દૂધમાંથી બનતાં ઉત્પાદનોની ભલામણ કરવામાં આવે છે. કારણ કે દૂધ અને ડેરી ઉત્પાદનો પ્રોટીન માટે જરૂરી તમામ 9 આવશ્યક એમિનો એસિડ ( Amino acids ) પૂરા પાડી શકે છે. આયુર્વેદ અનુસાર, પ્રતિરક્ષા વધારવા માટે પણ દૂધ માનવામાં આવે છે. આયુર્વેદમાં દૂધ ઉપરાંત એવા ફળો, મેવા, મૂળની ભલામણ કરવામાં આવી છે જેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે.

આ પણ વાંચોઃ આયુર્વેદની મદદથી માઈગ્રેનનો દુખાવો કરો ઓછો

  • પ્રોટીન સપ્તાહની ઉજવણીમાં જાણો મહત્વની વાત
  • શરીરની તંદુરસ્તી માટે ભરપૂર પ્રોટીન છે જરુરી
  • શેમાંથી મળશે સારું પ્રોટીન તે જાણો ETV Bharat Sukhibhav પાસેથી

ન્યૂઝ ડેસ્ક: આપણે માતા અને દાદીને દૂધમાંથી પનીર અથવા દહીં બનાવતા જોયાં છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમાં પાણી જેવો પદાર્થ શું છે? પનીર બનાવ્યા પછી ઘણી વખત તેને કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે અથવા દહીં સેટ થયા બાદ બાકી રહેલું પાણી દેખાય છે. તે વાસ્તવમાં શુદ્ધ પ્રોટીન છે જે પ્રક્રિયા દરમિયાન ફિલ્ટર થઈ જાય છે. તે ઝડપી પાચન વર્ગ સાથે સંકળાયેલ પ્રોટીન ( Protein ) છે જે માનવ શરીર સરળતાથી શોષી શકે છે અને તેનો લાભ મેળવી શકે છે.

આપણો ભારતીય શાકાહારી આહાર સામાન્ય રીતે પ્રોટીન ( Protein ) સ્ત્રોતોની ઓછી માત્રાનો ઉપયોગ કરે છે. એક સરળ દૈનિક ભોજનના પોષણ મૂલ્યને હકારાત્મક રીતે વધારવા માટે પનીર બનાવ્યા બાદ બાકી રહેલું પાણી ફેંકી દેવાને બદલે અથવા દહીંની ઉપર નાંખી પાણીનો ઉપયોગ કરી શકાય છે. લોટ બાંધો તેમાં પણ ભેળવી શકો. એટલું જ નહીં, તેનો ઉપયોગ દાળ, શાકભાજી, સૂપ અને ચોખા અને પાસ્તા રાંધવા માટે પણ થઈ શકે છે.

દરરોજ કેટલી માત્રામાં પ્રોટીનની જરૂર છે

કન્સલ્ટન્ટ ડાયેટિશિયન વંદના કાકોટકરના જણાવ્યા મુજબ વ્યક્તિને સામાન્ય રીતે તેના વજનના કિલોગ્રામ દીઠ 0.8 થી 1.0 ગ્રામ પ્રોટીનની ( Protein ) જરૂર હોય છે. ઉદાહરણ તરીકે, 50 કિલો વજન ધરાવતી વ્યક્તિને દરરોજ 40-50 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. શાકાહારી વ્યક્તિની કઠોળ, અનાજ (ચોખા, જુવાર, ઘઉં, વગેરે) ના 2 થી 3 વાટકા અને દિવસ દરમિયાન 1 થી 2 ગ્લાસ દૂધ અથવા તેમાંથી બનાવેલ ઉત્પાદનોનું સેવન કરીને જરુરિયાત પૂર્ણ થઈ શકે છે. બીજી બાજુ, માંસાહારી લોકો માછલી, ચિકન, દરરોજ 2 ઇંડા અને ચોખા અથવા ચપાતી જેવા અનાજ દ્વારા શરીરમાં પ્રોટીન સપ્લાય કરી શકે છે.

કુદરતી સ્ત્રોતોમાંથી પ્રોટીન

પશુઓમાંથી મેળવી શકાતું પ્રોટીન: દૂધ અને દૂધના ઉત્પાદનો, ઇંડા, માછલી, ચિકન, માંસ વગેરે. આ બધામાં આવશ્યક એમિનો એસિડ હોય છે અને તેને સંપૂર્ણ પ્રોટીન અથવા ઉચ્ચ જૈવિક મૂલ્ય પ્રોટીન ( Protein ) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

વનસ્પતિ સ્રોતોમાંથી પ્રોટીન: નટ્સ (ડ્રાય ફ્રુટ્સ), કઠોળ, સોયાબીન, દાળ, મશરૂમ્સ વગેરે. તેમાં એમિનો એસિડની જરૂરી માત્રા ન હોવાથી તેઓ અધૂરા પ્રોટીન અથવા ઓછા જૈવિક મૂલ્યના પ્રોટીન ( Protein ) તરીકે ઓળખાય છે.

પરંતુ જ્યારે આ બંને પ્રકારના અધૂરા પ્રોટીન ( Protein ) એકસાથે ખાવામાં આવે છે, ત્યારે તેઓ એકબીજાના પૂરક તરીકે કામ કરે છે અને શરીરમાં આવશ્યક એમિનો એસિડની ઉણપ પૂરી કરે છે. ઉદાહરણ તરીકે, કઠોળનું સામાન્ય મિશ્રણ ચોખા અને દાળ અથવા ખીચડી હોઇ શકે.પશુ પ્રોટીનની સરખામણીમાં પ્રોટીનના શાકાહારી સ્ત્રોતોમાં ઓછી સંતૃપ્ત ચરબી હોય છે અને કોલેસ્ટ્રોલ હોતું નથી, તેના વપરાશથી ડાયેટરી ફાઇબર, એન્ટીઓકિસડન્ટ અને ફાયટોકેમિકલ્સના વધારાના ફાયદો થાય છે. દરરોજ બપોરના અને રાત્રિભોજનમાં 1 વાટકી કઠોળ અને 1 વાટકી શાકભાજી સાથે રોટલી અથવા ચોખા ખાવાથી શરીરની પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય છે.

સોયાનો લોટ ઘઉંના લોટ સાથે 1: 4 ના ગુણોત્તરમાં ભેળવીને વાપરવાથી રોટલીમાં પ્રોટીનનું પ્રમાણ વધે છે.

નિયમિત ધોરણે પ્રાણીજ પ્રોટીનનો ( Protein ) વપરાશ ટાળવો જોઈએ. તેના બદલે, છોડના પ્રોટીનનું પણ સેવન કરી શકાય છે કારણ કે તે માંસાહારી ખોરાકના વધુ પડતા ઉપયોગથી થતી સમસ્યાઓથી બચાવી શકે છે. આ સંદર્ભે વધુ માહિતી આપતા આયુર્વેદિક ચિકિત્સક ડો. P V રંગનાયકુલુ જણાવે છે કે પ્રકૃતિમાં કુલ 20 પ્રકારના એમિનો એસિડ ( Amino acids ) મળે છે. જેને જીવનના નિર્માણખંડના રુપે પણ ઓળખવામાં આવે છે. એમિનો એસિડ અસંખ્ય પ્રોટીન બનાવે છે જે ત્વચા, વાળ, સ્નાયુઓ, હાડકાં વગેરે બનાવે છે. પ્રોટીન વિના જીવનની કલ્પના કરી શકાતી નથી.

ડો. P V રંગનાયકુલુ જણાવેે છે કે સિસ્ટીન, ગ્લુટામાઇન, લાઇસિન, આર્જીનાઇન અને કેટલાક અન્ય એમિનો એસિડને ( Amino acids ) આવશ્યક એમિનો એસિડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જે માંસ અથવા ઇંડાના વપરાશમાંથી મેળવી શકાય છે. એલેનાઇન, ગ્લાયસીન, ટાયરોસિન, એસ્પાર્ટેટ વગેરે બિનજરૂરી એમિનો એસિડ છે જે આપણે આપણા શરીરમાં જ કાર્બોહાઇડ્રેટ અથવા ચરબીમાંથી સંશ્લેષણ કરી શકીએ છીએ.

સંપૂર્ણ પ્રોટીનના સ્ત્રોત

1.ચોખા અને દાળ

2. આખા અનાજની બ્રેડ પર પીનટ બટર સેન્ડવીચ

3. આખા અનાજ સાથે બ્રેડ

4. કઠોળ અને મેવા અથવા બીજમાંથી બનાવેલ સલાડ

5. સૂર્યમુખીના બીજ અથવા બદામ સાથે દહીં

ડો. રંગનાયકુલુ સમજાવે છે કે આયુર્વેદના સાહિત્યમાં ભલે વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને માછલીઓનું માંસ ખાવાની ભલામણ કરવામાં આવી હોય, પરંતુ ધાર્મિક માન્યતાઓના પ્રભાવને કારણે આયુર્વેદમાં લાંબા સમયથી શાકાહારને પ્રાધાન્ય અપાય છે. આથી આયુર્વેદમાં સારા સ્વાસ્થ્ય માટે અને શરીરમાં પ્રોટીન ( Protein ) સપ્લાય માટે દૂધમાંથી બનતાં ઉત્પાદનોની ભલામણ કરવામાં આવે છે. કારણ કે દૂધ અને ડેરી ઉત્પાદનો પ્રોટીન માટે જરૂરી તમામ 9 આવશ્યક એમિનો એસિડ ( Amino acids ) પૂરા પાડી શકે છે. આયુર્વેદ અનુસાર, પ્રતિરક્ષા વધારવા માટે પણ દૂધ માનવામાં આવે છે. આયુર્વેદમાં દૂધ ઉપરાંત એવા ફળો, મેવા, મૂળની ભલામણ કરવામાં આવી છે જેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે.

આ પણ વાંચોઃ આયુર્વેદની મદદથી માઈગ્રેનનો દુખાવો કરો ઓછો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.