ધરમપુરના પહાડી પ્રદેશમાં ચોમાસું શરુ થતાની સાથે જ અનેક નાનામોટા ઝરણાઓ વહે છે. એમાં પણ બીલપુડીઅને વાઘવડ નજીકમાં આવેલા શંકર ધોધ જોવા લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે એક યુવક શંકરધોધ ઉપર થી નીચે પટકાતા તેનું મોત નિરજ્યું હતું. સ્થાનિકો એ આ ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.જે બાદ આ યુવકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાની મદદથી મૃતકની ઓળખ કરવામાં આવી હતી અને આ યુવક નાની ઢોલ ડુંગરીનો હોવાનું બહાર આવ્યું હતું.જેનું નામ કેતન હીરાભાઈ પટેલ હતું જે ઘરેથી વાળ કપાવવા જવાનું કહી નીકળ્યો હતો. તેના પરિવારજનો એ પોલીસને જણાવ્યું હતું અહી એ કેવી રીતે આવ્યો અને કેવી રીતે તનું મોત થયું સમગ્ર બાબત રહસ્ય સર્જાયું છે.
વલસાડમાં ધોધ પરથી પટકાતા યુવકનું મોત - Dharampur
વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરીગામે રહેતો યુવક વાળ કપાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ યુવકનો મૃતદેહ ધરમપુરના વાઘવડ નજીકમાં આવેલા જાણીતા શંકરધોધ પાસેથી મળી આવ્યો હતો. જોકે તેના મોત અંગે અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે. શંકર ધોધના નીચેના ભાગથી મૃતક યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
![વલસાડમાં ધોધ પરથી પટકાતા યુવકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3918421-thumbnail-3x2-kk.jpg?imwidth=3840)
ધરમપુરના પહાડી પ્રદેશમાં ચોમાસું શરુ થતાની સાથે જ અનેક નાનામોટા ઝરણાઓ વહે છે. એમાં પણ બીલપુડીઅને વાઘવડ નજીકમાં આવેલા શંકર ધોધ જોવા લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે એક યુવક શંકરધોધ ઉપર થી નીચે પટકાતા તેનું મોત નિરજ્યું હતું. સ્થાનિકો એ આ ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.જે બાદ આ યુવકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાની મદદથી મૃતકની ઓળખ કરવામાં આવી હતી અને આ યુવક નાની ઢોલ ડુંગરીનો હોવાનું બહાર આવ્યું હતું.જેનું નામ કેતન હીરાભાઈ પટેલ હતું જે ઘરેથી વાળ કપાવવા જવાનું કહી નીકળ્યો હતો. તેના પરિવારજનો એ પોલીસને જણાવ્યું હતું અહી એ કેવી રીતે આવ્યો અને કેવી રીતે તનું મોત થયું સમગ્ર બાબત રહસ્ય સર્જાયું છે.