ETV Bharat / state

ધરમપુરમાં વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝમાં ચેકીંગ, 1.84 લાખની અખાદ્ય કેરીનો નાશ - Valsad News

વલસાડઃ જિલ્લાના ધરમપુર વિસ્તારમાં આવતી વાડીલાલ ઇન્ડસ્ટ્રીમાં પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા સીઓની એક ટીમ દ્વારા અચાનક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ફાયર સેફટીનો અભાવ સહિત કંપનીમાં બનાવવામાં આવતી ખાદ્ય પ્રોડક્ટમાં સ્વચ્છતાનો અભાવ તેમજ સળેલુ રો મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતુ, જેને પગલે કંપનીમાં રો-મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહેલી કોહવાઈ ગયેલી પાંચ હજાર કિલોથી વધુ કેરીનો નાશ કરાયો છે. જ્યારે 25 કિલો જેટલા સમોસાનો પણ નાસ કરવામાં આવ્યો હતો.

રવિન્દ્ર ખટારા,ધરમપુર પ્રાંત અધિકારી
author img

By

Published : Jun 1, 2019, 4:46 PM IST

Updated : Jun 3, 2019, 6:43 PM IST

વલસાડ નજીક આવેલા ધરમપુરમાં પાલિકા વિસ્તારમાં કાર્યરત એવી વાડીલાલ ઇન્ડસ્ટ્રીમાં ધરમપુર પ્રાંત અધિકારી નગરપાલિકા સીઓ અને જિલ્લા ફુડ વિભાગના અધિકારીઓએ સંયુક્ત રીતે ફાયર સેફટી અંગેના સર્વે કરવા માટે પહોંચ્યા હતા, જોકે સર્વે કરવા દરમિયાન ત્યાં કેટલીક ચીજો બાદ તેઓની આંખો પહોળી થઇ ગઇ હતી, કંપનીમાં રો મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી કેરીઓ કોહવાયેલી અને બગડી ગયેલી હતી, જેને ઉપયોગમાં લેવાઈ રહી હતી તો ત્યાં બનાવવામાં આવેલા કેટલાક સમોસાનો ભાગ પણ ખાવામાં ઊપયોગમાં લઇ શકાય તેમ ન હતો.

વલસાડના ધરમપુરમાં રૂપીયા 1,84,000ની અખાદ્ય કેરીનો નાસ કરવામાં આવ્યો

જ્યારે ફાયરસેફ્ટીના સર્વેના સાધનો પણ સંપૂર્ણપણે અભાવ હોવાનું બહાર આવ્યું હતું, આ સમગ્ર બાબતે etv ભારતને માહિતી આપતા ધરમપુર પ્રાંત અધિકારી રવિન્દ્ર ખટારા જણાવ્યું કે તેમની કંપનીને જરૂરી નિયમો અને ફૂડ સેફ્ટીના નિયમોને આધીન હાલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમ જ પંદર દિવસની અંદર કંપનીમાં રહેલી ત્રુટિઓ દૂર કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે, જો તેમ છતાં પણ કંપની દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે શુક્રવારના રોજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વે દરમિયાન કંપની માંથી મળી આવેલી 5260 કિલો બગડેલી કેરીઓ જેની કિંમત અંદાજિત 1,84,000 થાય છે, તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો તો સાથે સાથે કંપનીમાં બનાવવામાં આવતા 25 કિલો જેટલા સમોસાનો પણ નાશ કરાયો હતો, આમ અચાનક થયેલા સર્વેમાં મળી આવેલી કેટલીક ચીજોના સેમ્પલ પણ ફુડ વિભાગ દ્વારા લઈને વધુ તપાસ માટે રાજકોટ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે જોકે હાલ તો કંપનીને પંદર દિવસની મુદત આપી ધારાધોરણ મુજબ કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યો હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

વલસાડ નજીક આવેલા ધરમપુરમાં પાલિકા વિસ્તારમાં કાર્યરત એવી વાડીલાલ ઇન્ડસ્ટ્રીમાં ધરમપુર પ્રાંત અધિકારી નગરપાલિકા સીઓ અને જિલ્લા ફુડ વિભાગના અધિકારીઓએ સંયુક્ત રીતે ફાયર સેફટી અંગેના સર્વે કરવા માટે પહોંચ્યા હતા, જોકે સર્વે કરવા દરમિયાન ત્યાં કેટલીક ચીજો બાદ તેઓની આંખો પહોળી થઇ ગઇ હતી, કંપનીમાં રો મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી કેરીઓ કોહવાયેલી અને બગડી ગયેલી હતી, જેને ઉપયોગમાં લેવાઈ રહી હતી તો ત્યાં બનાવવામાં આવેલા કેટલાક સમોસાનો ભાગ પણ ખાવામાં ઊપયોગમાં લઇ શકાય તેમ ન હતો.

વલસાડના ધરમપુરમાં રૂપીયા 1,84,000ની અખાદ્ય કેરીનો નાસ કરવામાં આવ્યો

જ્યારે ફાયરસેફ્ટીના સર્વેના સાધનો પણ સંપૂર્ણપણે અભાવ હોવાનું બહાર આવ્યું હતું, આ સમગ્ર બાબતે etv ભારતને માહિતી આપતા ધરમપુર પ્રાંત અધિકારી રવિન્દ્ર ખટારા જણાવ્યું કે તેમની કંપનીને જરૂરી નિયમો અને ફૂડ સેફ્ટીના નિયમોને આધીન હાલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમ જ પંદર દિવસની અંદર કંપનીમાં રહેલી ત્રુટિઓ દૂર કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે, જો તેમ છતાં પણ કંપની દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે શુક્રવારના રોજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વે દરમિયાન કંપની માંથી મળી આવેલી 5260 કિલો બગડેલી કેરીઓ જેની કિંમત અંદાજિત 1,84,000 થાય છે, તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો તો સાથે સાથે કંપનીમાં બનાવવામાં આવતા 25 કિલો જેટલા સમોસાનો પણ નાશ કરાયો હતો, આમ અચાનક થયેલા સર્વેમાં મળી આવેલી કેટલીક ચીજોના સેમ્પલ પણ ફુડ વિભાગ દ્વારા લઈને વધુ તપાસ માટે રાજકોટ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે જોકે હાલ તો કંપનીને પંદર દિવસની મુદત આપી ધારાધોરણ મુજબ કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યો હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

Intro:ધરમપુર સરકારી તંત્ર દ્વારા સુરતમાં બનેલી ઘટનાને પગલે ધરમપુર નજીકમાં પાલિકા વિસ્તારમાં આવતી વાડીલાલ ઇન્ડસ્ટ્રીમાં પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા સીઓની એક ટીમ દ્વારા અચાનક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ફાયર સેફટી નો અભાવ સહિત કંપનીમાં બનાવવામાં આવતી ખાદ્ય પ્રોડક્ટમાં સ્વચ્છતાનો અભાવ તેમજ સળેલું રો મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું બહાર આવ્યું જેને પગલે કંપનીમાં રો-મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહેલી કોહવાઈ ગયેલી પાંચ હજાર કિલોથી વધુ કેરી નો નાશ કરાયો જ્યારે 25 કિલો જેટલા સમોસા નો પણ ડાન્સ કરવામાં આવ્યો હતો


Body:વલસાડ નજીક આવેલા ધરમપુરમાં પાલિકા વિસ્તારમાં કાર્યરત એવી વાડીલાલ ઇન્ડસ્ટ્રીમાં ધરમપુર પ્રાંત અધિકારી નગરપાલિકા સીઓ અને જિલ્લા ફુડ વિભાગના અધિકારી આમ સંયુક્ત રીતે ફાયર સેફટી અંગે ના સર્વે કરવા માટે પહોંચ્યા હતા જોકે સર્વે કરવા દરમ્યાન ત્યાં કેટલીક જોયેલી ચીજો બાદ તેઓની આંખો પહોળી થઇ ગઇ હતી કંપનીમાં રો મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી કેરીઓ કોહવાયેલી અને બગડી ગયેલી ઉપયોગમાં લેવાઈ રહી હતી તો ત્યાં બનાવવામાં આવેલા કેટલાક સમોસા નો ભાગ પણ ખાવામાં ઊપયોગમાં લઇ શકાય તેમ ન હતો તો ફાયરસેફ્ટીના સર્વે ના સાધનો પણ સંપૂર્ણપણે અભાવ હોવાનું બહાર આવ્યું હતું આ સમગ્ર બાબતે etv ભારતને માહિતી આપતા ધરમપુર પ્રાંત અધિકારી રવિન્દ્ર ખટારા જણાવ્યું કે તેમના દ્વારા કંપનીને જરૂરી નિયમો અને ફૂડ સેફ્ટીના નિયમોને આધીન હાલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે તેમ જ પંદર દિવસની અંદર કંપનીમાં રહેલી ત્રુટિઓ દૂર કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે જો તેમ છતાં પણ કંપની દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે


Conclusion:નોંધનીય છે કે ગઈ કાલે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વે દરમિયાન કંપની માંથી મળી આવેલી 5260 કિલો બગડેલી કેરીઓ જેની કિંમત અંદાજિત 184000 થાય છે તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો તો સાથે સાથે કંપનીમાં બનાવવામાં આવતા 25 કિલો જેટલા સમોસા જે ખાવા માટે બિલકુલ ઉપયોગ ન હોય તેનો પણ નાશ કરાયો હતો આમ અચાનક થયેલા સર્વેમાં મળી આવેલી કેટલીક ચીજો ના સેમ્પલ પણ ફુડ વિભાગ દ્વારા લઈને વધુ તપાસ માટે રાજકોટ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે જોકે હાલ તો કંપનીને પંદર દિવસની મુદત આપી ધારાધોરણ મુજબ કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યો હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું
Last Updated : Jun 3, 2019, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.