ETV Bharat / state

પગપાળા વતન જતા શ્રમિકોના માલિકો વિરુદ્ધ જિલ્લામાં પોલીસે ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું - વલસાડ કોરોનાવાઈરસ ન્યૂજ

વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રવાસી શ્રમિકો માટે લોકડાઉનના દિવસો દરમિયાન કંપનીના માલિક દ્વારા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા  ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે.

police station
police station
author img

By

Published : Apr 1, 2020, 12:00 AM IST



વાપીઃ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રવાસી શ્રમિકો માટે લોકડાઉનના દિવસો દરમિયાન કંપનીના માલિક દ્વારા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે.

મોટાભાગના કોન્ટ્રાક્ટરો આ અંગે પાલન કરવામાં આવી રહ્યું નથી. શ્રમિક પરિવાર માટે ખાવા-પીવાની કે રહેવાની વ્યવસ્થા પણ કરતા ના હોય શ્રમિક પરિવારો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. આ શ્રમિકો પગપાળા જ પોતાના વતન તરફ નીકળી પડ્યા છે. ત્યારે આવા સમયમાં ઠેર-ઠેર નાકાબંધીમાં ગોઠવાયેલ પોલીસ દ્વારા તેમને અટકાવી તેમના માલિક કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

આવી જ એક ફરિયાદ ઉમરગામમાં આવેલ એવરેસ્ટ કંપનીના લેબર કોન્ટ્રાક્ટર અનુપ કુમાર સામે નોંધવામાં આવી છે. અનુપ કુમારને ત્યાં કામ કરતા કામદારોને લોકડાઉન દરમિયાન રહેવા-જમવાની વ્યવસ્થા પુરી પાડવાને બદલે રુમ ખાલી કરીને જવાનું કહેતા આ કામદારો પગપાળા જ પોતાના વતન તરફ નીકળી પડ્યા હતા.

લેબર કોન્ટ્રાક્ટરની આ લાપરવાહીને કારણે પરેશાન થનારા 5 કામદારો ઉત્તર પ્રદેશ જવા માટે સુરત તરફના હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે વલસાડ હાઈવે પર પોલીસે તેમને રોકી પૂછપરછ કરી હતી. જે પૂછપરછમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી વલસાડ પોલીસે લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી લોકડાઉન અંગેની કાર્યવાહી હાથ ધરી છે.





વાપીઃ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રવાસી શ્રમિકો માટે લોકડાઉનના દિવસો દરમિયાન કંપનીના માલિક દ્વારા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે.

મોટાભાગના કોન્ટ્રાક્ટરો આ અંગે પાલન કરવામાં આવી રહ્યું નથી. શ્રમિક પરિવાર માટે ખાવા-પીવાની કે રહેવાની વ્યવસ્થા પણ કરતા ના હોય શ્રમિક પરિવારો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. આ શ્રમિકો પગપાળા જ પોતાના વતન તરફ નીકળી પડ્યા છે. ત્યારે આવા સમયમાં ઠેર-ઠેર નાકાબંધીમાં ગોઠવાયેલ પોલીસ દ્વારા તેમને અટકાવી તેમના માલિક કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

આવી જ એક ફરિયાદ ઉમરગામમાં આવેલ એવરેસ્ટ કંપનીના લેબર કોન્ટ્રાક્ટર અનુપ કુમાર સામે નોંધવામાં આવી છે. અનુપ કુમારને ત્યાં કામ કરતા કામદારોને લોકડાઉન દરમિયાન રહેવા-જમવાની વ્યવસ્થા પુરી પાડવાને બદલે રુમ ખાલી કરીને જવાનું કહેતા આ કામદારો પગપાળા જ પોતાના વતન તરફ નીકળી પડ્યા હતા.

લેબર કોન્ટ્રાક્ટરની આ લાપરવાહીને કારણે પરેશાન થનારા 5 કામદારો ઉત્તર પ્રદેશ જવા માટે સુરત તરફના હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે વલસાડ હાઈવે પર પોલીસે તેમને રોકી પૂછપરછ કરી હતી. જે પૂછપરછમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી વલસાડ પોલીસે લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી લોકડાઉન અંગેની કાર્યવાહી હાથ ધરી છે.



ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.