ETV Bharat / state

વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં માત્ર 1 કોરોના કેસ નોંધાયો - Valsad district Corona case

સમગ્ર રાજ્યમાં જ્યાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં આશ્ર્ચર્યજનક રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસના સરકારી આંકડા જોઈએ તો 4 દિવસ દરમ્યાન જિલ્લામાં માત્ર 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ 1234 કેસ નોંધાઇ ચૂક્યા છે.

વલસાડ
વલસાડ
author img

By

Published : Nov 19, 2020, 10:00 PM IST

  • જાહેર સ્થળો ખુલ્લા મુકાયા તેમ છતાં કેસ ઘટયા
  • 4 દિવસમાં ફક્ત 1 કોરોના કેસ
  • 1234 સંક્રમિત લોકોમાંથી 1079 સ્વસ્થ થયા

વલસાડ જિલ્લામાં અનલોક દરમિયાન અનેક જાહેર સ્થળો કોવિડ 19 ના નિયમો મુજબ ખુલ્લા મુકવામાં આવ્યા છે. તેમ છતાં કોરોના કેસમાં વધારો થયો નથી.

વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં માત્ર 1 કોરોના કેસ નોંધાયો
વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં માત્ર 1 કોરોના કેસ નોંધાયો

ચાર દિવસમાં માત્ર જિલ્લામાં 1 કોરોના કેસ

વલસાડ જિલ્લામાં કોવિડ 19 ના દર્દીઓની સંખ્યા છેલ્લા 4 દિવસમાં માત્ર એક કોરોના કેસ નોંધાયો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા વિશેષ આયોજનને પગલે જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તારીખ 16 નવેમ્બર ના રોજ ઝીરો કેસ,તારીખ 17 નવેમ્બર ના રોજ ઝીરો કેસ તેમજ 3 લોકો ને રજા આપવામાં આવી,તારીખ 18 નવેમ્બર ના રોજ 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો જ્યારે 19 નવેમ્બર ના રોજ ઝીરો કેસ અને 3 લોકોને રજા આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં 1234 કુલ કેસ કોરોનાના નોંધાયા છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1234 કેસ નોંધાયા છે. હાલમાં દાખલ દર્દીઓની સંખ્યા 13 છે જેઓ સારવાર લઈ રહ્યા છે. 1079 લોકો જિલ્લામાં કોરોનાને હરાવી સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના માં કુલ 9 લોકોના મોત થયા છે.

17132 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 18367 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં 1234 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 17132 જેટલા સેમ્પલો નેગેટિવ આવ્યા છે.

  • જાહેર સ્થળો ખુલ્લા મુકાયા તેમ છતાં કેસ ઘટયા
  • 4 દિવસમાં ફક્ત 1 કોરોના કેસ
  • 1234 સંક્રમિત લોકોમાંથી 1079 સ્વસ્થ થયા

વલસાડ જિલ્લામાં અનલોક દરમિયાન અનેક જાહેર સ્થળો કોવિડ 19 ના નિયમો મુજબ ખુલ્લા મુકવામાં આવ્યા છે. તેમ છતાં કોરોના કેસમાં વધારો થયો નથી.

વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં માત્ર 1 કોરોના કેસ નોંધાયો
વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં માત્ર 1 કોરોના કેસ નોંધાયો

ચાર દિવસમાં માત્ર જિલ્લામાં 1 કોરોના કેસ

વલસાડ જિલ્લામાં કોવિડ 19 ના દર્દીઓની સંખ્યા છેલ્લા 4 દિવસમાં માત્ર એક કોરોના કેસ નોંધાયો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા વિશેષ આયોજનને પગલે જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તારીખ 16 નવેમ્બર ના રોજ ઝીરો કેસ,તારીખ 17 નવેમ્બર ના રોજ ઝીરો કેસ તેમજ 3 લોકો ને રજા આપવામાં આવી,તારીખ 18 નવેમ્બર ના રોજ 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો જ્યારે 19 નવેમ્બર ના રોજ ઝીરો કેસ અને 3 લોકોને રજા આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં 1234 કુલ કેસ કોરોનાના નોંધાયા છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1234 કેસ નોંધાયા છે. હાલમાં દાખલ દર્દીઓની સંખ્યા 13 છે જેઓ સારવાર લઈ રહ્યા છે. 1079 લોકો જિલ્લામાં કોરોનાને હરાવી સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના માં કુલ 9 લોકોના મોત થયા છે.

17132 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 18367 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં 1234 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 17132 જેટલા સેમ્પલો નેગેટિવ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.