ETV Bharat / state

વલસાડના તિથલ રોડ પર વેડફાયું લાખો લિટર પાણી

વલસાડ: શહેરમાં તિથલ રોડ ઉપર આવેલા તાલુકા વિકાસ અધિકારીના સરકારી આવાસ બહાર પાલિકા દ્વારા નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનમાં કોઈ કારણસર અચાનક ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું હતું. માર્ગ ઉપર વહી રહેલું પાણી જાણે ચોમાસાના ઋતુની યાદ અપાવતું હતું.

author img

By

Published : Apr 14, 2019, 9:50 PM IST

સ્પોટ ફોટો

વલસાડ તિથલ રોડ ઉપર તાલુકા વિકાસ અધિકારીના સરકારી આવાસ બહાર પાણીની પાઇપલાઇનમાં અગમ્ય કારણસર ભંગાણ સર્જાતા વહેલી સવારથી લાખો લીટર પાણી માર્ગમાં વેડફાયું હતું. જેના કારણે મુખ્યમાર્ગનો ઉપયોગ કરીને પસાર થતા વાહન ચાલકોને પાણીના વહેણમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સરકારી આવાસની બહાર અને ઉચ્ચ કક્ષાના અધિકારીના બંગલાની બહાર બનેલી ઘટના છતાં પણ પાલિકાના કોઇપણ કર્મચારી બપોર સુધી તેને સમારકામ કરવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે વહેલી સવારથી બપોર સુધી લાખો લીટર પાણી વેડફાયું હતું.

વલસાડ

એક તરફ જ્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લોકોની તરસ છીપાવી શકે તેના કરતાં પણ વધુ પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાયો હતો.

વલસાડ તિથલ રોડ ઉપર તાલુકા વિકાસ અધિકારીના સરકારી આવાસ બહાર પાણીની પાઇપલાઇનમાં અગમ્ય કારણસર ભંગાણ સર્જાતા વહેલી સવારથી લાખો લીટર પાણી માર્ગમાં વેડફાયું હતું. જેના કારણે મુખ્યમાર્ગનો ઉપયોગ કરીને પસાર થતા વાહન ચાલકોને પાણીના વહેણમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સરકારી આવાસની બહાર અને ઉચ્ચ કક્ષાના અધિકારીના બંગલાની બહાર બનેલી ઘટના છતાં પણ પાલિકાના કોઇપણ કર્મચારી બપોર સુધી તેને સમારકામ કરવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે વહેલી સવારથી બપોર સુધી લાખો લીટર પાણી વેડફાયું હતું.

વલસાડ

એક તરફ જ્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લોકોની તરસ છીપાવી શકે તેના કરતાં પણ વધુ પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાયો હતો.

Intro:વલસાડ શહેરમાં તિથલ રોડ ઉપર આવેલા તાલુકા વિકાસ અધિકારીના સરકારી આવાસ ની બહાર મુખ્યમાર્ગ ઉપર વલસાડ પાલિકા દ્વારા નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનમાં કોઈ કારણસર અચાનક ભંગાણ સર્જાતા વહેલી સવારથી લાખો લીટર પાણી વેડફાયું હતું માર્ગ ઉપર વહી રહેલું પાણી જાણે ચોમાસાના ઋતુની યાદ અપાવતું હતું


Body:વલસાડ તિથલ રોડ ઉપર તાલુકા વિકાસ અધિકારીના સરકારી આવાસ ની બહાર મુખ્ય માર્ગ ઉપર વલસાડ નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં અગમ્ય કારણસર ભંગાણ સર્જાતા વહેલી સવારથી લાખો લીટર પાણી માર્ગમાં વ્યર્થમાં રહ્યું હતું જેના કારણે આ મુખ્યમાર્ગ નો ઉપયોગ કરીને પસાર થતા વાહન ચાલકો ને આ પાણીના વહેણ માંથી પસાર થવાની ફરજ પડી હતી વળી સરકારી આવાસ ની બહાર જ અને એક ઉચ્ચ કક્ષાના અધિકારીના બંગલાની બહાર બનેલી આ ઘટના છતાં પણ પાલિકાના કોઇપણ કર્મચારી બપોર સુધી તેને સમારકામ કરવાની તસ્દી લીધી ન હતી જેના કારણે વહેલી સવારથી બપોર સુધી લાખો લિટર પાણી વેડફાયું હતું


Conclusion:એક તરફ જ્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લોકોની તરસ છીપાવી શકે તેના કરતાં પણ વધુ પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાયો હતો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.