ETV Bharat / state

વલસાડમાં આરોગ્ય વિભાગની સફળ કામગીરી, મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં થયો ઘટાડો

author img

By

Published : Jul 18, 2019, 9:45 AM IST

વલસાડ: જિલ્લામાં દર ચોમાસની ઋતુમાં ડેન્ગયુ અને મલેરિયાના કેસમાં વધારો જોવા મળે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વલસાડના આરોગ્ય વિભાગની મહેનતના કારણે મલેરિયા તેમજ ડેન્ગયુના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વલસાડમાં મચ્છર જન્યરોગો સામે આરોગ્ય વિભાગની સફળ કામગીરી,જુઓ શું હાથ ધર્યા હતા કાર્યો

વલસાડ જિલ્લામાં ચોમાસું શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગના સરકારી દવાખાનાઓમાં સિઝનલ બિમારીના કેસ વધી જતા હોય છે. જેમા ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસો વધુ પ્રમાણમાં હોય છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષથી જ જિલ્લાના દરેક તાલુકામાં એક્શન પ્લાન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં 358 જેટલી ટીમો સતત સર્વે કરી જરૂરી જણાય ત્યાં લોકોને દવાઓનું વિતરણ કરી રહી છે. મલેરિયા અને પાણી જન્યરોગોને રોકવા માટે એન્ટી લાર્વા એક્ટીવિટી શરૂ કરવામાં આવી છે. જ્યા વરસાદી પાણીનો ભરાવો થાય તે વિસ્તારમાં ગેમ્બુસીયા અને ગપ્પી ફીસ છોડવામાં આવી રહી છે. જેના કારણે પાણીમાં મલેરીયાના મચ્છરોના ઈંડા થતા નથી.

વધુમાં મલેરિયાના આંકડાની વાત કરીએ તો, ગત વર્ષે જાન્યુઆરીમાં મલેરિયાના 32 કેસ નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરીમાં 20 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુની વાત કરીએ તો, ગયા વર્ષે 12 કેસ નોંધાયા હતા. આ વખતે 2 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા. પરંતુ તેઓેને સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.

આરોગ્ય અધિકારી અનિલ પટેલના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગત તારીખ 15-6-19થી ટીમો સતત સર્વેલન્સ કરી રહી છે. અત્યાર સુધીમાં 7,125 જેટલા તાવના કેસો નોંધાયા છે. જેમા અત્યાર સુધી 79,466 જેટલી ડોકસી સાયક્લીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગત વર્ષ કરતા આરોગ્ય વિભાગ દ્વારા જુન માસથી શરૂ કરવામાં આવેલા સર્વે અને જાગૃતતા કાર્યક્રમને કારણે મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.


વલસાડ જિલ્લામાં ચોમાસું શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગના સરકારી દવાખાનાઓમાં સિઝનલ બિમારીના કેસ વધી જતા હોય છે. જેમા ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસો વધુ પ્રમાણમાં હોય છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષથી જ જિલ્લાના દરેક તાલુકામાં એક્શન પ્લાન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં 358 જેટલી ટીમો સતત સર્વે કરી જરૂરી જણાય ત્યાં લોકોને દવાઓનું વિતરણ કરી રહી છે. મલેરિયા અને પાણી જન્યરોગોને રોકવા માટે એન્ટી લાર્વા એક્ટીવિટી શરૂ કરવામાં આવી છે. જ્યા વરસાદી પાણીનો ભરાવો થાય તે વિસ્તારમાં ગેમ્બુસીયા અને ગપ્પી ફીસ છોડવામાં આવી રહી છે. જેના કારણે પાણીમાં મલેરીયાના મચ્છરોના ઈંડા થતા નથી.

વધુમાં મલેરિયાના આંકડાની વાત કરીએ તો, ગત વર્ષે જાન્યુઆરીમાં મલેરિયાના 32 કેસ નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરીમાં 20 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુની વાત કરીએ તો, ગયા વર્ષે 12 કેસ નોંધાયા હતા. આ વખતે 2 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા. પરંતુ તેઓેને સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.

આરોગ્ય અધિકારી અનિલ પટેલના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગત તારીખ 15-6-19થી ટીમો સતત સર્વેલન્સ કરી રહી છે. અત્યાર સુધીમાં 7,125 જેટલા તાવના કેસો નોંધાયા છે. જેમા અત્યાર સુધી 79,466 જેટલી ડોકસી સાયક્લીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગત વર્ષ કરતા આરોગ્ય વિભાગ દ્વારા જુન માસથી શરૂ કરવામાં આવેલા સર્વે અને જાગૃતતા કાર્યક્રમને કારણે મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.


Intro:વલસાડ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા દર ચોમાસે વધી જતા ડેન્ગ્યું અને મેલેરિયાના કેસને નાથવા માટે મહાદ અંશે સફળતા મળી છે ગત વર્ષ કરતા મેલેરિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે તો ડેન્ગ્યુંના કેશ માં પણ ઘટાડો નોધાયો છે Body:વલસાડ જીલ્લામાં ચોમાસું શરુ થતા ની સાથે જ આરોગ્ય વિભાગના સરકારી દવાખાના ઓમાં સીઝનલ બીમારીના કેશ વધી જતા હોય છે એમાં પણ ડેન્ગ્યું અને મેલેરિયા જેવા કેસો વધુ પ્રમાણ માં હોય વલસાડ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષ થી જ જીલ્લાના દરેક તાલુકામાં એક્શન પ્લાન મુજબ કામગીરી શરુ કરવામાં આવી હતી વલસાડ જીલ્લામાં ૩૫૮ જેટલી ટીમો સર્વે સતત કરી જરૂરી જણાય ત્યાં લોકોને દવાઓનું વિતરણ કરી રહી છે તો મેલેરિયા અને પાણી જાન્ય રોગોને રોકવા માટે એન્ટી લાર્વા એક્તીવીતી શરુ કરવામાં આવી છે જ્યાં વરસાદી પાણી નો ભરાવો થાય છે વિસ્તારમાં ગેમ્બુસીયા અને ગપ્પી ફીસ છોડવામાં આવી રહી છે જેના કારણે પાણીમાં મેલેરીયાના મચ્છરોના ઈંડા થતા નથી
વાત કરીએ મેલેરિયાના આંકડા ની તો ગત વર્ષે જાન્યુઆરીમાં મેલેરિયાના ૩૨ કેસ નોધાયા હતા જયારે જાન્યુઆરીમાં ૨૦ કેસ નોધાયા છે તો ડેન્ગ્યું ની વાત કરીએ તો ગયા વર્ષે ૧૨ કેસ નોધાયા હતા જયારે આ વખતે ૨ કેશ ડેન્ગ્યું ના નોધાયા હતા પરંતુ તેઓ સારવાર આપી ને રજા આપી દેવાઈ છેConclusion:આરોગ્ય આધિકારી અનીલ પટેલના જણાવ્યા મુજબ ગત તારીખ ૧૫ -૬-૧૯ થી અત્યાર સુધીમાં સતત જીલ્લામાં ટીમો સર્વેલન્સ કરી રહી છે જેવા અત્યાર સુધીમાં ૭૧૨૫ જેટલા ફીવર ના કેશો નોધાયા છે અને તેમાં અત્યાર સુધીમાં ૭૯૪૪૬ જેટલી ડોકસી સાયક્લીન ની ગોળીઓ નું વિતરણ કરવામાં આવ્યું છે
આમ ગત વર્ષ કરતા આવશે આરોગ્ય વિભાગ દ્વારા જુન માસ થી શરુ કરવામાં આવેલા સર્વે અને જાગૃતતા કાર્યક્રમ ને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુંના કેસ માં ઘટાડો જોવા મળ્યો છે


નોધ :-કોઈ મેલેરિયા અંગે નો ફાઈલ ફોટો લઇ લેવો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.