વાપી: સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને કારણે આ રોગને નાથવા માટે વડાપ્રધાન દ્વારા 21 દિવસનું સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવા સમયે લોકો ઘરમાં રહે છે. જ્યારે માર્ગ પર રખડતા અને પાંજરાપોળમાં નિભાવ કરતા પશુઓને ઘાસચારો નહીં મળતા તેઓની વ્હારે વાપીના શ્રી અજિત સેવા ટ્રસ્ટ રાતા પાંજરાપોળના કાર્યકર્તાઓ પહોંચી રહ્યાં છે.

લોકડાઉન દરમિયાન એક તરફ અનેક સંસ્થાઓ ગરીબો, જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઇ રહ્યાં છે, ત્યારે અન્ય કેટલાક જીવદયા પ્રેમીઓ પશુઓને મરતા બચાવવા ઘાસચારાનું વિતરણ કરી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વાપી પંથકમાં પશુઓના માટે વાપી નજીકના રાતા ગામે આવે શ્રી અજીત સેવા ટ્રસ્ટ દ્વારા એક પાંજરાપોળ બનાવવામાં આવી છે. જ્યાં પશુઓને રાખવામાં આવે છે અને તેઓની સેવા કરવામાં આવી રહી છે.
