NSUIના કાર્યકરોને ઈશ્વર સદબુદ્ધિ આપે એવા હેતુથી વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ મુખ્ય બજારમાં આવેલી ગાંધી લાઈબ્રેરી પાસે ગાંધીજીના પુતળા નજીક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું કે, અમદાવાદમાં બનેલી ઘટનામાં એક સમજી-વિચારીને કરેલો કારસો છે અને આ ઘટનામાં અનેક લોકો ઘવાયા છે. NSUIના કાર્યકરોને ઈશ્વર સદબુદ્ધિ આપે તેવા હેતુસર વલસાડ ખાતે આજે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિ આપવામાં આવી હતી અને NSUIના કાર્યકરોને સદબુદ્ધિ આપે એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડના કાર્યકરોએ પ્રાર્થના પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, JNU અને ત્યારબાદ અમદાવાદમાં NSUI અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું. જેને પગલે બંને પક્ષો તરફથી વિવિધ આયોજનો કરી વિરોધ કરવામાં આવી રહ્યો હતો.