અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા શહિદ ભગતસિંહના જન્મદિવસના ઉપલક્ષમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જો માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં શહીદ ભગતસિંહ દેશને આઝાદ કરવાની લડાઇમાં પોતે ફાંસી સુધી પહોંચી જતા હોય તો એક સામાન્ય વિદ્યાર્થી પણ અન્યનો જીવ બચાવવા માટે રક્તદાન કેમ નહીં કરી શકે તેવા ઉદ્દેશથી શુક્રવારના રોજ વલસાડ સાયન્સ કોલેજ ખાતે સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NCCના વિદ્યાર્થીઓ તેમજ સાયન્સ કોલેજના વિદ્યાર્થી રક્તદાન કર્યું હતું.
નોંધનીય છે કે વલસાડ જિલ્લા સાયન્સ કોલેજ ખાતે અનેક સામાજીક કાર્યક્રમો કરવામાં આવે છે તો સાથે સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ સમયાંતરે સમાજ ઉપયોગી કાર્યક્રમો રજુ કરવામાં આવે છે.