ETV Bharat / state

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ગેરવર્તન કરનારા 4 પાલિકાના સભ્યો સામે ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને 4 સભ્યોને પોતાના સભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ આ 4 જેટલા સભ્યો સામે પોતાના સભ્ય પદ પરથી રદ કરવાનો હુકમ થતાં રાજકારણ ગરમાયું છે.

author img

By

Published : Mar 30, 2021, 7:32 PM IST

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા
વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથીવલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા દૂર કરાયા
  • વલસાડ નગરપાલિકાના 4 સભ્યોને સભ્ય પદ પરથી રદ કરાયા
  • ભંગાર કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઇ
  • સભામાં અશોભનીય વર્તન બાબતે લેખિતમાં ફરિયાદ નોંધઇ

વલસાડઃ નગરપાલિકાની સામાન્ય સભામાં ગેરવર્તન કરનારા 4 પાલિકાના સભ્યો સામે ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને 4 સભ્યોને પોતાના સભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ 4 સભ્યો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વલસાડ નગરપાલિકાના ભંગાર કૌભાંડના મુદ્દે વિવિધ સ્વભાવમાં અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને આખરે તેમની રજૂઆત બાદ ભંગાર કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. જે બાદ આ 4 સભ્યો સામે પોતાના સભ્ય પદ પરથી રદ કરવાનો હુકમ થતાં રાજકારણ ગરમાયું છે.

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા
વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા

4 સભ્યોએ પાલિકાની સામાન્ય સભાની કામગીરી ખોરંભે પાડી

વલસાડ નગરપાલિકામાં યોજાતી સામાન્ય સભામાં દર વખતે વિવિધ જાહેર રજાના મુદ્દાઓની રજૂઆત કરતા સભ્યોને આક્રમક અંદાજમાં પોતાની રજૂઆતો કરતા આવ્યા છે અને જેને લઇને તારીખ 29/ 1/ 2019 ના રોજ યોજાયેલી વલસાડ પાલિકાની સામાન્ય સભામાં 4 સભ્યોએ પાલિકાની સામાન્ય સભાની કામગીરી ખોરંભે પડી હતી જેના કારણે કેટલાક એજન્ટો અને મુદ્દાઓ અટવાઈ ગયા હતા. આ સમગ્ર બાબતે આ 4 સભ્યો સામે નગરપાલિકાના CO દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે બાબતનું હિયરિંગ થયા બાદ મ્યુનિસિપાલટી કમિશનર દ્વારા આ 4 સભ્યોને પોતાના સભ્ય પદ પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યા છે. જેને લઇને ચકચાર મચી ગઇ છે

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા

આપણ વાંચોઃ ધરમપુરના મોટી ઢોલ ડુંગરી તાલુકા પંચાયત સભ્યને કર્યા ડિટેઈન

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆ

ભ્ય પદ પરથી દૂર કરવામાં આવેલા 4 સભ્યો પૈકી ત્રણ ભાજપના અને એક અપક્ષના સભ્ય સામે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆતોને લઈને ઉગ્ર અને આક્રમક અંદાજમાં આ 4 સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. જે પૈકી ઉજૈસ ઈશ્વરભાઈ પટેલ રાજેશ મંગુભાઈ પટેલ પ્રવિણ પરસોતમ ભાનુસાલી અને યસેશ જયસુખ માળી આમ આ ચારેય સભ્યો સામે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં ફરિયાદ કરાઇ હતી. જે બાદ આજે હુકમ થતાં આ 4ને પોતાના સભ્ય પદ પરથી દૂર કરવાનો હુકમ કરવાની નોટિસ ફટકારીમાં આવી હતી.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 37 (1)મુજબ કાર્યવાહી કરાઈ

નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યો દ્વારા નગરપાલિકાની કોઈપણ કામગીરી ખોરંભે પડયા વિના પોતાની રજૂઆત કરવાની હોય છે પરંતુ ઉગ્ર રજૂઆત કરવા માટે પોતાની જગ્યા પરથી ઊભા થઈ જાય પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની ખુરશી આગળ આવી જાય પોતાની આક્રમક રજૂઆત કરવા બાબતે ખોરંભે પડેલી પાલિકાની કામગીરી બાબતે ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાબતે તેમના અસભ્ય વર્તન અંગે નગરપાલિકા અધિનિયમ કલમ 37 (૧)મુજબ સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યા છે.

વલસાડ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું

વલસાડ નગરપાલિકાના આ ચારેય સભ્યો દ્વારા દરેક સામાન્ય સભામાં પાલિકાના ભંગાર કૌભાંડ મામલે અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી અને ભંગાર કૌભાંડ મામલે અનેક લોકો સંડોવાયેલા હોય તે બાબતે પોલીસ ફરિયાદ કરવા માટે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરાઈ હતી. જે બાદ આખરે પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી અને જેમાં પાલિકાના ઈજનેર સહિત 4 સામે ફરિયાદ નોંધાઇ હતી અને જેનું રેલો પાલિકાના અન્ય સત્તાપક્ષના અધિકારીઓ બાબતે પણ આવે એવી શક્યતાઓ હોય તેને પગલે આ 4 સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ રાજેશ મંગુભાઈ પટેલ ઉર્ફે રાજુ ભાઈ મરચાંએ કર્યો છે અને આ સમગ્ર બાબતે તેઓ હાઈકોર્ટમાં પણ જશે તેવું તેમણે જણાવ્યું હતું.

આમ પ્રજાના પ્રશ્નોને સામાન્ય સભામાં આક્રમક રજૂઆત કરનારા સભ્યો સામે પદ પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેને લઇને હાલતો વલસાડ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે.

  • વલસાડ નગરપાલિકાના 4 સભ્યોને સભ્ય પદ પરથી રદ કરાયા
  • ભંગાર કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઇ
  • સભામાં અશોભનીય વર્તન બાબતે લેખિતમાં ફરિયાદ નોંધઇ

વલસાડઃ નગરપાલિકાની સામાન્ય સભામાં ગેરવર્તન કરનારા 4 પાલિકાના સભ્યો સામે ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને 4 સભ્યોને પોતાના સભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ 4 સભ્યો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વલસાડ નગરપાલિકાના ભંગાર કૌભાંડના મુદ્દે વિવિધ સ્વભાવમાં અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને આખરે તેમની રજૂઆત બાદ ભંગાર કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. જે બાદ આ 4 સભ્યો સામે પોતાના સભ્ય પદ પરથી રદ કરવાનો હુકમ થતાં રાજકારણ ગરમાયું છે.

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા
વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા

4 સભ્યોએ પાલિકાની સામાન્ય સભાની કામગીરી ખોરંભે પાડી

વલસાડ નગરપાલિકામાં યોજાતી સામાન્ય સભામાં દર વખતે વિવિધ જાહેર રજાના મુદ્દાઓની રજૂઆત કરતા સભ્યોને આક્રમક અંદાજમાં પોતાની રજૂઆતો કરતા આવ્યા છે અને જેને લઇને તારીખ 29/ 1/ 2019 ના રોજ યોજાયેલી વલસાડ પાલિકાની સામાન્ય સભામાં 4 સભ્યોએ પાલિકાની સામાન્ય સભાની કામગીરી ખોરંભે પડી હતી જેના કારણે કેટલાક એજન્ટો અને મુદ્દાઓ અટવાઈ ગયા હતા. આ સમગ્ર બાબતે આ 4 સભ્યો સામે નગરપાલિકાના CO દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે બાબતનું હિયરિંગ થયા બાદ મ્યુનિસિપાલટી કમિશનર દ્વારા આ 4 સભ્યોને પોતાના સભ્ય પદ પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યા છે. જેને લઇને ચકચાર મચી ગઇ છે

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ગેર વર્તણુક કરવા બદલ 4 સભ્યોને પદ પરથી દૂર કરાયા

આપણ વાંચોઃ ધરમપુરના મોટી ઢોલ ડુંગરી તાલુકા પંચાયત સભ્યને કર્યા ડિટેઈન

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆ

ભ્ય પદ પરથી દૂર કરવામાં આવેલા 4 સભ્યો પૈકી ત્રણ ભાજપના અને એક અપક્ષના સભ્ય સામે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆતોને લઈને ઉગ્ર અને આક્રમક અંદાજમાં આ 4 સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. જે પૈકી ઉજૈસ ઈશ્વરભાઈ પટેલ રાજેશ મંગુભાઈ પટેલ પ્રવિણ પરસોતમ ભાનુસાલી અને યસેશ જયસુખ માળી આમ આ ચારેય સભ્યો સામે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં ફરિયાદ કરાઇ હતી. જે બાદ આજે હુકમ થતાં આ 4ને પોતાના સભ્ય પદ પરથી દૂર કરવાનો હુકમ કરવાની નોટિસ ફટકારીમાં આવી હતી.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 37 (1)મુજબ કાર્યવાહી કરાઈ

નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યો દ્વારા નગરપાલિકાની કોઈપણ કામગીરી ખોરંભે પડયા વિના પોતાની રજૂઆત કરવાની હોય છે પરંતુ ઉગ્ર રજૂઆત કરવા માટે પોતાની જગ્યા પરથી ઊભા થઈ જાય પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની ખુરશી આગળ આવી જાય પોતાની આક્રમક રજૂઆત કરવા બાબતે ખોરંભે પડેલી પાલિકાની કામગીરી બાબતે ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાબતે તેમના અસભ્ય વર્તન અંગે નગરપાલિકા અધિનિયમ કલમ 37 (૧)મુજબ સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યા છે.

વલસાડ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું

વલસાડ નગરપાલિકાના આ ચારેય સભ્યો દ્વારા દરેક સામાન્ય સભામાં પાલિકાના ભંગાર કૌભાંડ મામલે અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી અને ભંગાર કૌભાંડ મામલે અનેક લોકો સંડોવાયેલા હોય તે બાબતે પોલીસ ફરિયાદ કરવા માટે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરાઈ હતી. જે બાદ આખરે પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી અને જેમાં પાલિકાના ઈજનેર સહિત 4 સામે ફરિયાદ નોંધાઇ હતી અને જેનું રેલો પાલિકાના અન્ય સત્તાપક્ષના અધિકારીઓ બાબતે પણ આવે એવી શક્યતાઓ હોય તેને પગલે આ 4 સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ રાજેશ મંગુભાઈ પટેલ ઉર્ફે રાજુ ભાઈ મરચાંએ કર્યો છે અને આ સમગ્ર બાબતે તેઓ હાઈકોર્ટમાં પણ જશે તેવું તેમણે જણાવ્યું હતું.

આમ પ્રજાના પ્રશ્નોને સામાન્ય સભામાં આક્રમક રજૂઆત કરનારા સભ્યો સામે પદ પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેને લઇને હાલતો વલસાડ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.