ETV Bharat / state

Vadodara Rape Case: કેસની ફરિયાદ રદ્દ કરી આરોપીને જેલમુક્ત કરવાનો આદેશ આપતી ગુજરાત હાઈકોર્ટ

author img

By

Published : Jul 11, 2023, 9:54 AM IST

Updated : Jul 11, 2023, 12:39 PM IST

ચકચારી ગોત્રી બળાત્કાર કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ રદ્દ કરી સમગ્ર ફરિયાદ ક્વોશ કરવાની સાથે રાજુ ભટ્ટને જેલ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કેસ રદ્દ થતા આરોપીઓ સામે કોઈપણ સંજોગોમાં કેસ પુરવાર કરવા અને બળાત્કાર સાબિત કરવાના અરમાન પર પાણી ફરી વળ્યાં છે.

Vadodara Rape Case: કેસની ફરિયાદ રદ્દ કરી આરોપીને જેલમુક્ત કરવાનો આદેશ આપતી ગુજરાત હાઈકોર્ટ
Vadodara Rape Case: કેસની ફરિયાદ રદ્દ કરી આરોપીને જેલમુક્ત કરવાનો આદેશ આપતી ગુજરાત હાઈકોર્ટ
Vadodara Rape Case: કેસની ફરિયાદ રદ્દ કરી આરોપીને જેલમુક્ત કરવાનો આદેશ આપતી ગુજરાત હાઈકોર્ટ

વડોદરાઃ આ કેસમાં અગાઉ ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ પણ સરકારી વકીલ દ્વારા આરોપી રાજુ ભટ્ટની જામીન અરજીનો વિરોધ કરતા સેશન્સ કોર્ટે જામીન નકાર્યા હતા. જે બાદ આરોપીઓએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરેલી જે આજે હાઇકોર્ટ દ્વારા મંજૂર કરતા આરોપીઓને મોટી રાહત આપી છે. આરોપી રાજુ ભટ્ સપ્ટેમ્બર’2021માં ધરપકડ થતાં જેલમાં છે, જે હવે જેલમુક્ત થશે જેની વિગતો આરોપી પક્ષના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ માહિતી આપી હતી.

વકીલની વાતઃ આ અંગે આરોપી પક્ષના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગોત્રી રેપ કેસ જે સપ્ટેમ્બર 2021માં આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે નોંધવામાં આવેલી એક ફરિયાદ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચની એક સ્પેશ્યલ ટીમેં તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલી હતી. પરંતુ સત્ય કોઈ ને કોઈ રીતે બહાર આવતું હોય છે. તેજ રીતે સત્ય બહાર આવ્યું છે.

મોટી રાહતઃ આજે બંને આરોપીઓને ગુજરાત હાઇકોર્ટમાંથી ખૂબ મોટી રાહત મળી છે. ફરિયાદ રદ કરી છે, અને ફરિયાદની સાથે સાથે કોર્ટમાં જે સેશન્સ કેસ પેન્ડિંગ છે, તે પણ રદ કરવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. આ ફરિયાદ રદ કરવા આદેશ કરાયો છે. સમગ્ર મામલે પીડિતા જે ફરિયાદી બેન હતા. તેઓનું નિવેદન સેશન્સ કોર્ટમાં નોંધાવ્યું હતું.

કેસ ખતમઃ તેના આધારે સાચી હકીકતો જાહેર કરી હતી. જે આધારે ગુજરાત હાઇકોર્ટમાં અમે ગયા હતા. અને ગુજરાત હાઈકોર્ટે પણ સોગંદ ઉપરની જે કઈ હકીકતો હતી. તે ધ્યાનમાં લઈને ફરિયાદ રદ થાય તે પ્રકારનો આદેશ કર્યો છે અને આ બંને આરોપીઓ સામેનો દુષ્કર્મનો કેસ આજે પૂર્ણ થયો છે તેવું જણાવ્યું હતું.

1) Amarnath Yatri Death: અમરનાથયાત્રા બની અંતિમયાત્રા, ઑક્સિજન ખૂટ્યું ને આવરદા પૂરી

2) Vadodara News: લઘુ ઉધોગ ભરતી દ્વારા જવાબદારીઓની સોંપણી થઈ, મહિલાઓના ઉધોગોને પ્રાથમિકતા

Vadodara Rape Case: કેસની ફરિયાદ રદ્દ કરી આરોપીને જેલમુક્ત કરવાનો આદેશ આપતી ગુજરાત હાઈકોર્ટ

વડોદરાઃ આ કેસમાં અગાઉ ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ પણ સરકારી વકીલ દ્વારા આરોપી રાજુ ભટ્ટની જામીન અરજીનો વિરોધ કરતા સેશન્સ કોર્ટે જામીન નકાર્યા હતા. જે બાદ આરોપીઓએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરેલી જે આજે હાઇકોર્ટ દ્વારા મંજૂર કરતા આરોપીઓને મોટી રાહત આપી છે. આરોપી રાજુ ભટ્ સપ્ટેમ્બર’2021માં ધરપકડ થતાં જેલમાં છે, જે હવે જેલમુક્ત થશે જેની વિગતો આરોપી પક્ષના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ માહિતી આપી હતી.

વકીલની વાતઃ આ અંગે આરોપી પક્ષના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગોત્રી રેપ કેસ જે સપ્ટેમ્બર 2021માં આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે નોંધવામાં આવેલી એક ફરિયાદ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચની એક સ્પેશ્યલ ટીમેં તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલી હતી. પરંતુ સત્ય કોઈ ને કોઈ રીતે બહાર આવતું હોય છે. તેજ રીતે સત્ય બહાર આવ્યું છે.

મોટી રાહતઃ આજે બંને આરોપીઓને ગુજરાત હાઇકોર્ટમાંથી ખૂબ મોટી રાહત મળી છે. ફરિયાદ રદ કરી છે, અને ફરિયાદની સાથે સાથે કોર્ટમાં જે સેશન્સ કેસ પેન્ડિંગ છે, તે પણ રદ કરવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. આ ફરિયાદ રદ કરવા આદેશ કરાયો છે. સમગ્ર મામલે પીડિતા જે ફરિયાદી બેન હતા. તેઓનું નિવેદન સેશન્સ કોર્ટમાં નોંધાવ્યું હતું.

કેસ ખતમઃ તેના આધારે સાચી હકીકતો જાહેર કરી હતી. જે આધારે ગુજરાત હાઇકોર્ટમાં અમે ગયા હતા. અને ગુજરાત હાઈકોર્ટે પણ સોગંદ ઉપરની જે કઈ હકીકતો હતી. તે ધ્યાનમાં લઈને ફરિયાદ રદ થાય તે પ્રકારનો આદેશ કર્યો છે અને આ બંને આરોપીઓ સામેનો દુષ્કર્મનો કેસ આજે પૂર્ણ થયો છે તેવું જણાવ્યું હતું.

1) Amarnath Yatri Death: અમરનાથયાત્રા બની અંતિમયાત્રા, ઑક્સિજન ખૂટ્યું ને આવરદા પૂરી

2) Vadodara News: લઘુ ઉધોગ ભરતી દ્વારા જવાબદારીઓની સોંપણી થઈ, મહિલાઓના ઉધોગોને પ્રાથમિકતા

Last Updated : Jul 11, 2023, 12:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.