ETV Bharat / state

મહાત્મા ગાંધીના પ્રપૌત્રએ ચલણી નોટો પરથી બાપુની છબી દૂર કરવા કરી અપીલ, જાણો શું છે સમગ્ર વિવાદ

author img

By

Published : Nov 22, 2022, 2:42 PM IST

Updated : Nov 22, 2022, 4:47 PM IST

સાવરકરના માફીનામા અંગે ઉઠેલા વિવાદને લઈને ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ (Mahatma Gandhi's great-grandson Tushar Gandhi) એક ટ્વીટ કરીને વિવાદને આગળ ધપાવ્યો છે. તેમને ટ્વીટ કરીને કહ્યું હતું કે સાવરકરે માત્ર બ્રિટશરોને મદદ નહોતી કરી પણ બાપુની હત્યા કરવા માટે ગન શોધવા માટે પણ સાવરકરે ગોડસેને મદદ કરી કરી હતી(Savarkar helped Nathuram to kill Bapu).

મહાત્મા ગાંધીના પ્રપૌત્રએ ચલણી નોટો પરથી બાપુની છબી દૂર કરવા કરી અપીલ
mahatma-gandhis-great-grandson-appeals-to-remove-bapus-image-from-currency-notes-know-what-the-whole-controversy-is

વડોદરા: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ (Mahatma Gandhi's great-grandson Tushar Gandhi) ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારે ઇતિહાસ બદલવાની (mission to change history) એમની મુહિમ છે તે બહું જ જોરશોરથી ચલાવી છે. સાવરકરે માત્ર અંગ્રેજોની મદદ નથી કરી પરંતુ બાપુની હત્યા માટે પણ નથુરામને મદદ કરી (Savarkar helped Nathuram to kill Bapu) છે તે એક જૂની બાબત છે પરંતુ ફરી ટ્વીટ કરવા પાછળ માત્ર જે ઘટના બની છે તેને ભૂલવી ન જોઈએ સાથે આજે ભારતીય ચલણી નોટ (Indian currency notes) પર આજે ભ્રષ્ટાચારનું એક તંત્ર બની ગયું છે, બાપુની નોટો પર છબી બાપુનું અપમાન છે.

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સાથે વાતચીત

ચલણી નોટો આજે ભ્રષ્ટાચારનું તંત્ર: ભારતની ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીનો ફોટો અંગે અરવિંદ કેજરીવાલ દ્વારા કરાયેલ નિવેદનને લઈ જવાબમાં ગાધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે, જો આ સરકાર નોટો પરથી બાપુની છબી કાઢી નાખશે તો હું આ સરકારનો ઋણી રહીશ. કારણ કે એ નોટો પર જે બાપુ છે એ મોહનદાસ કરમચંદ ગાંધી નથી. આજે ચલણી નોટ ભ્રષ્ટાચારનું તંત્ર બની ગયું છે. આ નોટો પર બાપુનો ફોટો એક અપમાન જનક છે. આજે દેશના પ્રધાનમંત્રી દ્વારા કારન્સીનું પતન થયું છે તો તેમનો ફોટો લગાવવામાં આવે અને લોકોને જાણ થાય કે કારન્સીનું પતન શાના કારણે થયું છે. જો નોટો પરથી આ સરકાર બાપુની તસવીર હટાવી દેશે તો પહેલી અને છેલ્લીવાર હું તેમનું સમર્થન કરીશ અને એમની સાથે ઉભો રહીશ.

તુષાર ગાંધીનું ટ્વીટ શું હતું: તુષાર ગાંધીએ ગઇકાલે ટ્વિટ કર્યું હતું કે, સાવરકરે માત્ર બ્રિટશરોને જ મદદ નહોતી કરી પણ બાપુની હત્યા કરવા માટે ગન શોધવા માટે પણ સાવરકરે ગોડસેને મદદ કરી કરી હતી. આ અંગે ETV BHARAT સાથેની વાતમાં તેમણે કહ્યું કે, મે આ પહેલીવાર નથી કરી. ઇતિહાસના પુરાવાના આધારે મેં લખ્યું છે. વર્ષ 2007માં મારા પુસ્તક 'લેટ્સ કિલ ગાંધી'માં પણ લખ્યું હતું. કપૂર કમિશનના રિપોર્ટના આધારે મે લખ્યું છે.

ઇતિહાસને નજર અંદાજ ન કરવો જોઈએ: મહાત્મા ગાંધીની હત્યાના કેસ અંગે તેમણે કહ્યું કે આ કેસ રિ-ઓપન કરવાની કોઇ જરૂર નથી. આ કેસ બહું સારી રીતે ચલાવવમાં આવ્યો હતો. હવે ન તો એ ઇન્વેસ્ટિગેશન સારી રીતે થઇ શકે, ન તો કેસ ચલાવી શકાય. કારણ કે હવે એ આરોપીઓ પણ જીવતા નથી. એ કેસની તપાસ કરનારા અધિકારીઓ પણ રહ્યા નથી. એટલે હવે ફરી ઇન્વેસ્ટિગેશન કરવાની કોઇ જરૂર નથી. ટ્વિટ કરવાનો મારો ઉદ્દેશ્ય એ નથી કરી આ કેસ રીઓપન થાય. પરંતુ તેનો ઉદ્દેશ્ય એટલો જ છે કે જે તથ્ય બહાર આવ્યા છે તે યાદ તો કરો. તમે જાણો તો ખરા. તમે તેને ભુલાવી દો અને ફક્ત વોટ્સ-એપ યુનિવર્સિટીને જ માનીને બેસી રહો તો ઇતિહાસ એ રીતે આપણે સંભાળી ન શકીએ.

વડોદરા: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ (Mahatma Gandhi's great-grandson Tushar Gandhi) ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારે ઇતિહાસ બદલવાની (mission to change history) એમની મુહિમ છે તે બહું જ જોરશોરથી ચલાવી છે. સાવરકરે માત્ર અંગ્રેજોની મદદ નથી કરી પરંતુ બાપુની હત્યા માટે પણ નથુરામને મદદ કરી (Savarkar helped Nathuram to kill Bapu) છે તે એક જૂની બાબત છે પરંતુ ફરી ટ્વીટ કરવા પાછળ માત્ર જે ઘટના બની છે તેને ભૂલવી ન જોઈએ સાથે આજે ભારતીય ચલણી નોટ (Indian currency notes) પર આજે ભ્રષ્ટાચારનું એક તંત્ર બની ગયું છે, બાપુની નોટો પર છબી બાપુનું અપમાન છે.

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સાથે વાતચીત

ચલણી નોટો આજે ભ્રષ્ટાચારનું તંત્ર: ભારતની ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીનો ફોટો અંગે અરવિંદ કેજરીવાલ દ્વારા કરાયેલ નિવેદનને લઈ જવાબમાં ગાધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે, જો આ સરકાર નોટો પરથી બાપુની છબી કાઢી નાખશે તો હું આ સરકારનો ઋણી રહીશ. કારણ કે એ નોટો પર જે બાપુ છે એ મોહનદાસ કરમચંદ ગાંધી નથી. આજે ચલણી નોટ ભ્રષ્ટાચારનું તંત્ર બની ગયું છે. આ નોટો પર બાપુનો ફોટો એક અપમાન જનક છે. આજે દેશના પ્રધાનમંત્રી દ્વારા કારન્સીનું પતન થયું છે તો તેમનો ફોટો લગાવવામાં આવે અને લોકોને જાણ થાય કે કારન્સીનું પતન શાના કારણે થયું છે. જો નોટો પરથી આ સરકાર બાપુની તસવીર હટાવી દેશે તો પહેલી અને છેલ્લીવાર હું તેમનું સમર્થન કરીશ અને એમની સાથે ઉભો રહીશ.

તુષાર ગાંધીનું ટ્વીટ શું હતું: તુષાર ગાંધીએ ગઇકાલે ટ્વિટ કર્યું હતું કે, સાવરકરે માત્ર બ્રિટશરોને જ મદદ નહોતી કરી પણ બાપુની હત્યા કરવા માટે ગન શોધવા માટે પણ સાવરકરે ગોડસેને મદદ કરી કરી હતી. આ અંગે ETV BHARAT સાથેની વાતમાં તેમણે કહ્યું કે, મે આ પહેલીવાર નથી કરી. ઇતિહાસના પુરાવાના આધારે મેં લખ્યું છે. વર્ષ 2007માં મારા પુસ્તક 'લેટ્સ કિલ ગાંધી'માં પણ લખ્યું હતું. કપૂર કમિશનના રિપોર્ટના આધારે મે લખ્યું છે.

ઇતિહાસને નજર અંદાજ ન કરવો જોઈએ: મહાત્મા ગાંધીની હત્યાના કેસ અંગે તેમણે કહ્યું કે આ કેસ રિ-ઓપન કરવાની કોઇ જરૂર નથી. આ કેસ બહું સારી રીતે ચલાવવમાં આવ્યો હતો. હવે ન તો એ ઇન્વેસ્ટિગેશન સારી રીતે થઇ શકે, ન તો કેસ ચલાવી શકાય. કારણ કે હવે એ આરોપીઓ પણ જીવતા નથી. એ કેસની તપાસ કરનારા અધિકારીઓ પણ રહ્યા નથી. એટલે હવે ફરી ઇન્વેસ્ટિગેશન કરવાની કોઇ જરૂર નથી. ટ્વિટ કરવાનો મારો ઉદ્દેશ્ય એ નથી કરી આ કેસ રીઓપન થાય. પરંતુ તેનો ઉદ્દેશ્ય એટલો જ છે કે જે તથ્ય બહાર આવ્યા છે તે યાદ તો કરો. તમે જાણો તો ખરા. તમે તેને ભુલાવી દો અને ફક્ત વોટ્સ-એપ યુનિવર્સિટીને જ માનીને બેસી રહો તો ઇતિહાસ એ રીતે આપણે સંભાળી ન શકીએ.

Last Updated : Nov 22, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.