ETV Bharat / state

અહીં મંદિરના દીવાને કારણે લાગી ભીષણ આગ, અફરા તફરીનો માહોલ સર્જાયો - Vadodara news

વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર સ્થિત રત્નદીપ ડુપ્લેક્ષના એક મકાનના મંદિરમાં દીવામાં ધી વધી જતા આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

aaa
ગોત્રી વિસ્તાર સ્થિત રત્નદીપ ડુપ્લેક્ષના એક મકાનમાં મંદિરમાં પ્રગટાવાયેલ દિવાને કારણે લાગી આગ
author img

By

Published : Feb 6, 2020, 3:22 PM IST

વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ રત્નદીપ ડુપ્લેક્ષમાં આવેલા એક મકાનના ઉપરના માળે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારમાં ભારે અફરા તફરી મચી ગઇ હતી. આગ લાગી હોવાનું માલુમ પડતાં સમય સૂચકતા દાખવી મકાનના તમામ સભ્યો બહાર દોડી આવ્યાં હતાં. જેથી વધુ જાનહાની ટળી હતી.

અહીં મંદિરના દીવાને કારણે લાગી ભીષણ આગ, અફરા તફરીનો માહોલ સર્જાયો

આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં વડીવાડી ફાયર તુરંત જ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સબ ફાયર ઓફિસર એચ.કે.ગઢવીના જણાવ્યાનુસાર, મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. જેમાં વધારે પડતું ઘી નાંખવાથી આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ રત્નદીપ ડુપ્લેક્ષમાં આવેલા એક મકાનના ઉપરના માળે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારમાં ભારે અફરા તફરી મચી ગઇ હતી. આગ લાગી હોવાનું માલુમ પડતાં સમય સૂચકતા દાખવી મકાનના તમામ સભ્યો બહાર દોડી આવ્યાં હતાં. જેથી વધુ જાનહાની ટળી હતી.

અહીં મંદિરના દીવાને કારણે લાગી ભીષણ આગ, અફરા તફરીનો માહોલ સર્જાયો

આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં વડીવાડી ફાયર તુરંત જ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સબ ફાયર ઓફિસર એચ.કે.ગઢવીના જણાવ્યાનુસાર, મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. જેમાં વધારે પડતું ઘી નાંખવાથી આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Intro:વડોદરા......



વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર સ્થિત રત્નદીપ ડુપ્લેક્ષના એક મકાનમાં મંદિરમાં પ્રગટાવાયેલ દિવાને કારણે આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો



Body:વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ રત્નદીપ ડુપ્લેક્સમાં આવેલા એક મકાનના ઉપરના માળે આજે આગ લાગવાની ઘટના બની હતી.ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારમાં ભારે અફરા તફરી મચી હતી.આગ લાગી હોવાનું માલુમ પડતાં સમય સુચકતા દાખવી મકાનના તમામ સભ્યો બહાર દોડી આવ્યા હતા.જેથી જાનહાની ટળી હતી.આ બનાવને પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં વડીવાડી ફાયર સ્ટેશનનાં લાશ્કરો એ તુરંતજ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.Conclusion:જોકે,મકાનના ઉપરના માળે લાગેલી વિકરાળ આગને પગલે ધુમાડાના ગોતેગોટા નીકળતાં ઘટના સ્થળે લોકટોળાં ઉમટી પડ્યા હતા.સબ ફાયર ઓફિસર એચ.કે.ગઢવીના જણાવ્યાનુસાર મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો.જેમાં વધારે પડતું ઘી નાંખવાથી આગ લાગી હતી.અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જોકે સત્વરે વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ તત્કાલ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.અને કોઈ જાનહાની થઈ ન હતી.



બાઈટ : એચ.કે.ગઢવી
સબ ફાયર ઓફિસર,
વડીવાડી ફાયર સ્ટેશન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.