ETV Bharat / state

શહીદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિધિ

author img

By

Published : Aug 21, 2019, 2:36 PM IST

Updated : Aug 21, 2019, 5:21 PM IST

વડોદરા: શહીદ જવાન સંજય સાધુની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. શહીદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

etv bharat vadodara

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા સંજય સાધુ છેલ્લા 9 વર્ષથી દેશની સેવા કરતા હતા. સંજય સાધુ ભારત બાંગ્લાદેશ સરહદ ખાતે " સાઉથ સાલમારા મનકાચરકા " જિલ્લા ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ગત્ત તા. 18 ઓગસ્ટના રોજ સરહદ પર પશુ તસ્કરી થઈ રહી હોવાની શંકા જતા તેઓ તેમની ટીમ સાથે રવાના થયા હતા. તે સમયે સંજય સાધુનો પગ લપસ્તા તેઓ પાણી ભરેલા નાળામાં ડૂબી જતાં શહીદ થયા હતા.

શહીદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમ વિધિ

શહીદ જવાન સંજય સાધુના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં લાખોની સંખ્યામાં શહેરીજનો શહીદના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. શહીદ જવાનના નિવાસ સ્થાને રાજકીય આગેવાનો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઘરેથી તેમની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સ્મશાન સુધી જોડાયા હતા. શહેરના ગોરવા સ્મશાન ખાતે શહીદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મોટી જનમેદની વચ્ચે જવાન અમર રહો, ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા સંજય સાધુ છેલ્લા 9 વર્ષથી દેશની સેવા કરતા હતા. સંજય સાધુ ભારત બાંગ્લાદેશ સરહદ ખાતે " સાઉથ સાલમારા મનકાચરકા " જિલ્લા ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ગત્ત તા. 18 ઓગસ્ટના રોજ સરહદ પર પશુ તસ્કરી થઈ રહી હોવાની શંકા જતા તેઓ તેમની ટીમ સાથે રવાના થયા હતા. તે સમયે સંજય સાધુનો પગ લપસ્તા તેઓ પાણી ભરેલા નાળામાં ડૂબી જતાં શહીદ થયા હતા.

શહીદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમ વિધિ

શહીદ જવાન સંજય સાધુના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં લાખોની સંખ્યામાં શહેરીજનો શહીદના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. શહીદ જવાનના નિવાસ સ્થાને રાજકીય આગેવાનો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઘરેથી તેમની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સ્મશાન સુધી જોડાયા હતા. શહેરના ગોરવા સ્મશાન ખાતે શહીદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મોટી જનમેદની વચ્ચે જવાન અમર રહો, ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Intro:વડોદરા શહિદ જવાન સંજય સાધુની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા: શહિંદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર..


Body:વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા સંજય સાધુ છેલ્લા 9 વર્ષથી દેશની સેવા કરતા હતા..સંજય સાધુ ભારત બાંગ્લાદેશ સરહદ ખાતે " સાઉથ સાલમારા મનકાચરકા " જિલ્લા ખાતે ફરજ બજાવતા હતા..તે દરમિયાન ગત્ત તા. 18 ઓગસ્ટના રોજ સરહદ પર પશુ તસ્કરી થઈ રહી હોવાની શંકા જતા તેઓ તેમની ટિમ સાથે દોડ્યા હતા..તે સમયે સંજય સાધુનો પગ લપસ્તા તેઓ પાણી ભરેલા નાળામાં ડૂબી જતાં શહીદ થયા હતા..




Conclusion:શહીદ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લાખોની સંખ્યામાં શહેરીજનો શહીદના અંતિમ દર્શન કરવા માટે લોકો ઉમટ્યા હતા..શહિદ જવાનના નિવાસ સ્થાને રાજકીય આગેવાનો સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા..શહીદના ઘરેથી તેમની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સ્મશાન સુધી જોડાયા હતા..શહરેના ગોરવા સ્મશાન ખાતે શહિદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા..મોટી જનમેદની વચ્ચે જવાન અમર રહો ભારત માતાકી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..


Last Updated : Aug 21, 2019, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.