ETV Bharat / state

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલાયા

તાપી: દક્ષિણ ગુજરાતનાં ધરતીપુત્રો માટે આશીર્વાદ રૂપ ગણાતા ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. રવિવારે બપોરે ડેમમાં પાણીનો વધારો થતાં 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે મોડી રાત્રે પાણીની આવકમાં વધારો નોંધાતા અન્ય 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.

author img

By

Published : Aug 26, 2019, 3:25 PM IST

ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલાયા

મહારાષ્ટ્રમાં હથનુર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં ત્યાંથી દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતુ. જે પાણી ઉકાઈ ડેમમાં આવતા તેમજ ઉકાઈ ડેમન કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. જેના પગલે રવિવારે 4 દરવાજા 6 ફૂટ જેટલા અને 1 દરવાજો 3 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો હતો.


મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસાદી માહોલ જામતા હથનુર ડેમમાં પાણીની આવક વધી હતી. હથનુર ડેમની જળ સપાટીની વાત કરીએ તો હાલ 210.053 મીટર છે. મોડી રાત્રે હથનુર ડેમમાંથી 1,89,000 કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું જે પાણી સીધું ઉકાઈ ડેમમાં આવતું હોવાથી ઉકાઈડેમના 10 દરવાજા 5 ફૂટ જેટલા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટીની વાત કરીએ તો 336.14 ફૂટ છે, ઇન ફ્લો 1,11,502 ક્યુસેક છે જ્યારે આઉટ ફ્લો 1,11,502 છે. ડેમમાં પાણીની સપાટીને જોતા દક્ષિણ ગુજરાતના લોકો માટે સારા સમાચાર એ છે કે ધરતી પુત્રોને ખેતી માટે આગામી સમયમાં પાણીની કોઈ તકલીફ નહીં પડે.

ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલાયા

મહારાષ્ટ્રમાં હથનુર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં ત્યાંથી દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતુ. જે પાણી ઉકાઈ ડેમમાં આવતા તેમજ ઉકાઈ ડેમન કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. જેના પગલે રવિવારે 4 દરવાજા 6 ફૂટ જેટલા અને 1 દરવાજો 3 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો હતો.


મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસાદી માહોલ જામતા હથનુર ડેમમાં પાણીની આવક વધી હતી. હથનુર ડેમની જળ સપાટીની વાત કરીએ તો હાલ 210.053 મીટર છે. મોડી રાત્રે હથનુર ડેમમાંથી 1,89,000 કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું જે પાણી સીધું ઉકાઈ ડેમમાં આવતું હોવાથી ઉકાઈડેમના 10 દરવાજા 5 ફૂટ જેટલા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટીની વાત કરીએ તો 336.14 ફૂટ છે, ઇન ફ્લો 1,11,502 ક્યુસેક છે જ્યારે આઉટ ફ્લો 1,11,502 છે. ડેમમાં પાણીની સપાટીને જોતા દક્ષિણ ગુજરાતના લોકો માટે સારા સમાચાર એ છે કે ધરતી પુત્રોને ખેતી માટે આગામી સમયમાં પાણીની કોઈ તકલીફ નહીં પડે.

ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલાયા
Intro:દક્ષિણ ગુજરાત ના ધરતીપુત્રો માટે આશીર્વાદ રૂપ ગણાતા ઉકાઈ ડેમના 10 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે ગતરોજ બપોરે ડેમમાં પાણીની આવકના કારણે 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા જ્યારે મોડી રાત્રે પાણીની આવકમાં વધારો નોંધાતા અન્ય 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.......


Body:મહારાષ્ટ્રમાં હથનુંર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં ત્યાંથી દરવાજા ખોલી પાણી છોડવામાં આવતું હોય છે જે પાણી ની આવક સીધી ઉકાઈ ડેમને લાગતી હોય છે ગતરોજ હથનુંર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તદુપરાંત ઉકાઈ ડેમન કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો જેના પગલે ગતરોજ 4 દરવાજા 6 ફૂટ જેટલા અને 1 દરવાજો 3 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો હતો ....Conclusion:
મહારાષ્ટ્ર ના ઉપરવાસ માં વરસાદી માહોલ જામતા હથનુંર ડેમમાં પાણી આવક વધી હતી. હથનુંર ડેમની જળ સપાટીની વાત કરીએ તો હાલ 210.053 મીટર છે. મોડી રાત્રે હથનુંર ડેમમાંથી 1,89,000 કયીસેક જેટલું પાણી છોડવામાં આવ્યું જે પાણી આવક સીધી ઉકાઈ ડેમને મળતી હોય છે જેના કારણે ઉકાઈડેમના 10 દરવાજા 5 ફૂટ જેટલા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે હાલ ઉકાઈ ડેમની જળ સપાટીની વાત કરીએ તો 336.14 ફૂટ છે, ઇન ફ્લો 1,11,502 ક્યુસેક છે જ્યારે આઉટ ફ્લો 1,11,502 છે. ડેમમાં પાણી ની સપાટી ને જોતા દક્ષિણ ગુજરાતના લોકો માટે સારા સમાચાર એ છે કે ધરતી પુત્રોને ખેતી માટે આગામી સમયમાં પાણીની કોઈ તકલીફ નહીં પડે......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.