ETV Bharat / state

કમોસમી વરસાદથી જગતના તાતને નુકસાન, શાકભાજીના ભાવ આસમાને

સુરત: રાજ્યમાં આ વર્ષે સીઝન કરતા વધુ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે. અતિવૃષ્ટિ અને મહા વાવાઝોડાની અસરના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવો ભડકે બળ્યા છે. ગત વર્ષે ચાલુ સીઝનમાં જે શાકભાજીના ભાવો સામાન્ય જોવા મળ્યા હતા, તે શાકભાજીના ભાવ આજે આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસથી લઇ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાકભાજીના ભાવમાં 30 ટકા જેટલો ભાવ વધારો થયો છે.

author img

By

Published : Nov 11, 2019, 12:58 PM IST

શાકભાજી

મહા વાવાઝોડાની અસરના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો મબલક પાક મહા વાવાઝોડાની અસરના કારણે નિષ્ફળ ગયો છે. કાપણીના સમયે જ મબલક પાક લેવાનો હતો, તે પહેલાં જ વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ખેતરોમાં રહેલ શાકભાજી ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. સુરતના સરદાર માર્કેટમાં પ્રતિદિવસ થલવાતો શાકભાજીનો જથ્થો ખૂબ જ ઓછો આવી રહ્યો છે. જેમાં તુવેર, ચોળી, ટામેટા, ગવાર, આદુ અને લસણ જેવા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. હવે વાતાવરણ સામાન્ય બન્યું છે અને ખેડૂતો નવેસરથી પાક લેવાનું શરૂ કરી રહ્યા છે. જેથી આશા છે કે, શાકભાજીના ભાવો ટૂંક જ સમયમાં ઓછા થશે.

શાકભાજીના ભાવ આસમાને

આ પણ વાંચો....ભરૂચમાં પુરની પરિસ્થિતિ બાદ શાકભાજીના ભાવો આસમાને

સુરત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના પેટ પર પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે.સુરતની APMC માર્કેટમાં ઠલવાતા શાકભાજીના મબલક પાકમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય વર્ગથી લઇ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. સામાન્ય દિવસોમાં જે ગૃહિણીઓ 10 થી 15 રૂપિયાનું અઢીસો ગ્રામ શાકભાજી ખરીદતી હતી, તે ગૃહિણીઓએ આજે 30 રૂપિયા ના ભાવે ખરીદી કરવા મજબુર બની છે.

શાકભાજીના ભાવ પર એક નજર

ટામેટા: 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો

આદુ: 100 થી 120

લસણ: 200 થી 280 રૂપિયા કિલો

તુવેર: 70 થી 80 રૂપિયા પ્રતિકીલો

લીંબુ: 50 થી 60 રૂપિયા કિલો

ગુવાર: 70 થી 80 રૂપિયા કિલો

કમોસમી વરસાદના કારણે જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

મહા વાવાઝોડાની અસરના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો મબલક પાક મહા વાવાઝોડાની અસરના કારણે નિષ્ફળ ગયો છે. કાપણીના સમયે જ મબલક પાક લેવાનો હતો, તે પહેલાં જ વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ખેતરોમાં રહેલ શાકભાજી ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. સુરતના સરદાર માર્કેટમાં પ્રતિદિવસ થલવાતો શાકભાજીનો જથ્થો ખૂબ જ ઓછો આવી રહ્યો છે. જેમાં તુવેર, ચોળી, ટામેટા, ગવાર, આદુ અને લસણ જેવા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. હવે વાતાવરણ સામાન્ય બન્યું છે અને ખેડૂતો નવેસરથી પાક લેવાનું શરૂ કરી રહ્યા છે. જેથી આશા છે કે, શાકભાજીના ભાવો ટૂંક જ સમયમાં ઓછા થશે.

શાકભાજીના ભાવ આસમાને

આ પણ વાંચો....ભરૂચમાં પુરની પરિસ્થિતિ બાદ શાકભાજીના ભાવો આસમાને

સુરત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના પેટ પર પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે.સુરતની APMC માર્કેટમાં ઠલવાતા શાકભાજીના મબલક પાકમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય વર્ગથી લઇ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. સામાન્ય દિવસોમાં જે ગૃહિણીઓ 10 થી 15 રૂપિયાનું અઢીસો ગ્રામ શાકભાજી ખરીદતી હતી, તે ગૃહિણીઓએ આજે 30 રૂપિયા ના ભાવે ખરીદી કરવા મજબુર બની છે.

શાકભાજીના ભાવ પર એક નજર

ટામેટા: 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો

આદુ: 100 થી 120

લસણ: 200 થી 280 રૂપિયા કિલો

તુવેર: 70 થી 80 રૂપિયા પ્રતિકીલો

લીંબુ: 50 થી 60 રૂપિયા કિલો

ગુવાર: 70 થી 80 રૂપિયા કિલો

કમોસમી વરસાદના કારણે જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

Intro:સુરત: રાજ્યમાં આ વખતનો સીઝન કરતા વધુ વરસાદ પડી ચુક્યો છે તેવામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે જેની સીધી અસર શાકભાજીના ભાવો પર જોવા મળી રહી છે. હાલ જ અતિવૃષ્ટિ અને મહા વાવાઝોડાની અસરના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે.જેના કારણે શાકભાજીના ભાવો ભડકે બળ્યા છે.ગત વર્ષે ચાલુ સીઝનમાં જે શાકભાજી ના ભાવો સામાન્ય જોવા મળ્યા હતા,તે શાકભાજીના ભાવો આજે ચોથા આસમાને પોહચી ગયા છે.પરિણામે સામાન્ય  માણસથી લઇ ગૃહિણીઓ ના બજેટ પર પણ અસર પડી છે.એટલે શાકભાજીના ભાવોમાં ત્રીસ ટકા જેટલો ભાવ વધારો થયો છે.

Body:હાલ જ ગુજરાત પર આવેલા મહા - વાવાઝોડા ની અસરના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાત ના ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.ખેડૂતો નો મબલક પાક મહા વાવાઝોડાની અસર ના કારણે નિષ્ફળ ગયો છે.કાપણી ના સમયે જ મબલક પાક લેવાનો હતો ,તે પહેલાં જ વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો.જેથી ખેતરોમાં રહેલ શાકભાજી ઉભા પાકને વ્યાપક નુકશાન થયું.જેથી સુરતના સરદાર માર્કેટ માં પ્રતિદિવસ થલવાતો શાકભાજી નો જથ્થો ખૂબ જ ઓછો આવી રહ્યો છે.જેમાં  તુવેર,ચોળી,ટામેટા,ગવાર,આદુ અને લસણ જેવા શાકભાજી ના ભાવો ભડકે બળ્યા છે.સામાન્ય રીતે આ સીઝનમાં ગત વર્ષે શાકભાજીના ભાવ ખૂબ જ  ઓછા અને સામાન્ય હતા,જે ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ ના કારણે ભાવોમાં ત્રીસ થી ચાલીસ ટકા જેટલો ભાવવધારો થયો છે..હવે વાતાવરણ સામાન્ય બન્યું છે અને ખેડૂતો નવેસરથી પાક લેવાનું શરૂ કરી રહ્યા છે.જેથી આશા છે કે શાકભાજીના ભાવો ટૂંક જ સમયમાં ઓછા થશે.

સુરત અને દક્ષિણ ગુજરાત માં કમોસમી વરસાદે ખેડૂતો ના પેટ પર પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે.સુરત ની એપીએમસી માર્કેટ માં ઠલવાતા શાકભાજીના મબલક પાકમાં ઘટાડો થયો છે અને તેના કારણે ભાવો ભડકે બળી રહ્યા છે.ત્યારે શાકભાજીના ભાવોમાં થયેલ વધારાના પગલે સામાન્ય વર્ગથી લઇ ગૃહિણીઓ ના બજેટ પણ ખોરવાયા છે.સામાન્ય દિવસોમાં જે ગૃહિણીઓ દસથી - પંદર રૂપિયા નું અઢીસો ગ્રામ શાકભાજી ખરીદતી હતી,તે ગૃહિણીઓએ આજે  ત્રીસ રૂપિયા ના ભાવે ખરીદી કરવા મજબુર બની છે...

કમોસમી વરસાદ અને ત્યારબાદ ખેડૂતોના પાકને થયેલ નુકશાન ને લઈ શાકભાજી ના ભાવો ઊંચકાયા છે.જેથી સામાન્ય વર્ગના લોકોએ શાકભાજી ની ખરીદી કઈ રીતે કરવી તેની સમસ્યા પણ હાલ લોકોને સતાવી રહી છે.ત્યારે શાકભાજીના ભાવો પર એક નજર કરીએ તો...

ટામેટા :      50 થી 60 રૂપિયા પ્રતિ કિલો...

આદુ   :     100 થી 120 ....

લસણ :     200 થી 280 રૂપિયા કિલો

તુવેર :       70 થી 80 રૂપિયા પ્રતિકીલો

લીંબુ :       50 થી 60 રૂપિયા કિલો

ગુવાર:       70 થી 80 રૂપિયા કિલો


Conclusion:સામાન્ય રીતે આ સીઝનમાં  શાકભાજીઓના ભાવ ખૂબ જ નજીવા હોય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં આ શાકભાજીઓ ના ભાવો ભડકે બળી રહ્યા છે અને સામાન્ય વર્ગના લોકોની ચિંતામાં પણ વધારો કરી રહયા છે.ત્યારે અહીં નોંધવું જરૂરી છે કે રાજ્યમાં આવેલા મહાવાવાઝોડા  ઇ અસરના કારણે જે કમોસમી વરસાદ સુરત સહિત દક્ષિણ ગુજરાત માં પડ્યો ,તેના કારણે ખેડુતોના પાકને વ્યાપક નુકશાન સહન કરવાનો વારો છે.જે શાકભાજીમાં ના ભાવોમાં થયેલ વધારો બતાવે છે.જો કે હવે ડિસેમ્બર માસમાં પહેલાની જેમ ફરી શાકભાજીનો મબલક પાક સુરતની એપીએમસી માં આવશે તેવો આશાવાદ વેપારીઓ અને ગૃહિણીઓ કરી રહ્યા છે.

બાઈટ :બાબુભાઈ પટેલ(શાકભાજીના જથ્થાબંધ વેપારી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.