ETV Bharat / state

માથાભારે સુર્યા મરાઠીના સાગરિત રાકેશ મારુંની હત્યા

author img

By

Published : Nov 12, 2020, 10:57 AM IST

ડાયમન્ડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. માથાભારેની છાપ ધરાવતા રાંદેરના કુખ્યાત રાકેશ મારું નામના શખ્સની અજાણ્યા ઇસમોએ હત્યા કરી હતી, જે બાદ તેઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat Murder
Surat Murder

સુરત: દિવાળીના તહેવારમાં સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માથાભારેની છાપ ધરાવતા રાંદેરના કુખ્યાત રાકેશ મારું નામના શખ્સની અજાણ્યા ઈસમો હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

રાકેશ મારું માથાભારે સુર્યા મરાઠીનો સાગરીત હતો

સુરતમાં દિવાળીનો તહેવાર લોહિયાળ બન્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો રાકેશ મારું નામનો શખ્સ ગત્ત મોડી રાતે પોતાના મિત્રોને મળવા ગયો હતો, તે સમયે અજાણ્યા 4 થી 5 ઈસમો આવ્યા અને રાકેશ પર ચપ્પુ અને તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાકેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.

સુરત પોલીસે તપાસ હાથ ધરી

આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી, તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. હત્યારાઓ કોણ હતા અને રાકેશની હત્યા કેમ કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ રાકેશ મારું માથાભારે સુર્યા મરાઠીનો સાગરીત હતો અને તે માથાભારેની છાપ ધરાવતો હતો.

ભૂતકાળમાં નોંધાયા છે અનેક ગુનાઓ

ભૂતકાળમાં અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત: દિવાળીના તહેવારમાં સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માથાભારેની છાપ ધરાવતા રાંદેરના કુખ્યાત રાકેશ મારું નામના શખ્સની અજાણ્યા ઈસમો હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

રાકેશ મારું માથાભારે સુર્યા મરાઠીનો સાગરીત હતો

સુરતમાં દિવાળીનો તહેવાર લોહિયાળ બન્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો રાકેશ મારું નામનો શખ્સ ગત્ત મોડી રાતે પોતાના મિત્રોને મળવા ગયો હતો, તે સમયે અજાણ્યા 4 થી 5 ઈસમો આવ્યા અને રાકેશ પર ચપ્પુ અને તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાકેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.

સુરત પોલીસે તપાસ હાથ ધરી

આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી, તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. હત્યારાઓ કોણ હતા અને રાકેશની હત્યા કેમ કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ રાકેશ મારું માથાભારે સુર્યા મરાઠીનો સાગરીત હતો અને તે માથાભારેની છાપ ધરાવતો હતો.

ભૂતકાળમાં નોંધાયા છે અનેક ગુનાઓ

ભૂતકાળમાં અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.