ETV Bharat / state

એક સપ્તાહમાં ઓડિશા સમાજના 14થી વધુ લોકોના કોરોના સંક્રમણને કારણે મોત

author img

By

Published : Apr 10, 2021, 7:01 PM IST

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ઓડિશા સમાજના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં ઓડિશા સમાજના 14થી વધુ લોકોને ભરખી ગયો છે. આજ કારણ છે કે, ઓડિશા સમાજના આગેવાનોએ પોતાના વિસ્તારમાં કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ કરી કર્યું છે.

ઓડિશા સમાજ
ઓડિશા સમાજ
  • ગત સપ્તાહ ઓડિશા સમાજના 14થી વધુ લોકોના કોરોના સંક્રમણને કારણે મોત
  • ઓડિશા સમાજના અનેક લોકો પોઝિટિવ આવ્યા
  • મૃતકો અંતિમ સંસ્કાર કોરોના ગાઇડલાઇન મુજબ કરાયા

સુરત : શહેરમાં વકરી રહેલા કોરોના સંક્રમણનીથી ઓડિશા સમાજના લોકો પણ બચી શક્યા નથી. છેલ્લા કેટલાક સમયથી ઓડિશા સમાજના અનેક લોકો પોઝિટિવ આવ્યા છે, તો એક અઠવાડિયામાં 14થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેના કારણે હાલ ઓડિશા સમાજના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલી 57 વર્ષીય મહિલા ભાગ્યલક્ષ્મીનું મોત થયુ છે. ભાગ્યલક્ષ્મીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતો કે, તેમની સાથે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શક્યો ન હતો. આખરે તેમને મૃત્યુની ખબર આવી હતી. તેમને અગાઉ પોઝિટિવ ન હતા, પરંતુ તેમના અંતિમ સંસ્કાર કોરોના ગાઇડલાઇન મુજબ કરવામાં આવ્યા હતા.

એક સપ્તાહમાં ઓડિશા સમાજના 14થી વધુ લોકોના કોરોના સંક્રમણને કારણે મોત

આ પણ વાંચો - ઓડિશામાં કોરોના વાઇરસ સામે માનવતા હારી

ઓડિશા સમાજના લોકોમાં દહેશતનો માહોલ

ઓડિશા સમાજના લોકો લાખોની સંખ્યામાં સુરતમાં રહે છે. આ લોકો મોટાભાગે રૂમ્સના કારખાનામાં કામ કરે છે અને ગીચ વિસ્તારમાં રહેતા હોય છે. આવી પરિસ્થિતીમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધારે છે અને જે રીતે છેલ્લા એક અઠવાડિયામાં મોતનો આંકડો સામે આવ્યો છે, તેના કારણે ઓડિશા સમાજના લોકોમાં દહેશતનો માહોલ છે. સમાજના આગેવાનો લુમ્સના કારખાનાઓ અને ઓડિશાવાસીના વિસ્તારમાં જઈ માસ્ક વિતરણ કરી રહ્યા છે. લોકોને વધારે વેક્સિન લેવા માટે જાગૃત કરી રહ્યા છે.

80 ટકા આવા શ્રમિકો છે જેમની ઉંમર 45 વર્ષ કરતા ઓછી

આ અંગે ઓડિશા સમાજના આગેવાન શ્રીકાંત રાઉતે જણાવ્યું હતું કે, ગત એક અઠવાડિયા દરમિયાન 14 લોકોના મોત થયા છે. અનેક લોકો કરોના પોઝિટિવ થઈ રહ્યા છે. અમે લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરી રહ્યા છે. ગત ચાર દિવસ દરમિયાન સચિન વિસ્તારના ઓડિશાના 2,000 લોકોને વ્યક્તિને આપવામાં આવ્યા છે. જ્યારે પાંડેસરાના ઉમિયાનગર ખાતે શાળામાં બે દિવસ દરમિયાન 800 લોકોને વ્યક્તિને અપાયા છે. અમે સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે, વેક્સિન માટે જે સમય મર્યાદા છે, તે વધારવામાં આવે કારણ કે, આઠ લાખ જેટલા ઓડિશા સમાજના લોકોમાં 80 ટકા આવા શ્રમિકો છે. જેમની ઉંમર 45 વર્ષ કરતા ઓછી છે અને પાલિકાએ નોકરી પર આવતા પહેલાં વ્યક્તિને સર્ટિફિકેટ અથવા તો કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કર્યું છે.

આ પણ વાંચો - સુરત શહેર-જિલ્લામાં ગાંજાના ધંધાના નામીચા આરોપી સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી

લુમ્સના કારખાનામાં લોકો માસ્ક પહેરીને જોવા મળતા નથી

શ્રીકાંત રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમે તમામ વિસ્તારોમાં માસ્ક વિતરણ કરી લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે જણાવી રહ્યા છે. હાલ જે આંકડા સામે આવી રહ્યા છે, તેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને લુમ્સના કારખાનામાં લોકો માસ્ક પહેરીને જોવા મળતા નથી. જે લોકો રૂમાલ મારીને ફરી રહ્યા છે, તેને અમે માસ્ક આપીને પહેંરવા માટે અપીલ કરી રહ્યા છે.

  • ગત સપ્તાહ ઓડિશા સમાજના 14થી વધુ લોકોના કોરોના સંક્રમણને કારણે મોત
  • ઓડિશા સમાજના અનેક લોકો પોઝિટિવ આવ્યા
  • મૃતકો અંતિમ સંસ્કાર કોરોના ગાઇડલાઇન મુજબ કરાયા

સુરત : શહેરમાં વકરી રહેલા કોરોના સંક્રમણનીથી ઓડિશા સમાજના લોકો પણ બચી શક્યા નથી. છેલ્લા કેટલાક સમયથી ઓડિશા સમાજના અનેક લોકો પોઝિટિવ આવ્યા છે, તો એક અઠવાડિયામાં 14થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેના કારણે હાલ ઓડિશા સમાજના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલી 57 વર્ષીય મહિલા ભાગ્યલક્ષ્મીનું મોત થયુ છે. ભાગ્યલક્ષ્મીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતો કે, તેમની સાથે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શક્યો ન હતો. આખરે તેમને મૃત્યુની ખબર આવી હતી. તેમને અગાઉ પોઝિટિવ ન હતા, પરંતુ તેમના અંતિમ સંસ્કાર કોરોના ગાઇડલાઇન મુજબ કરવામાં આવ્યા હતા.

એક સપ્તાહમાં ઓડિશા સમાજના 14થી વધુ લોકોના કોરોના સંક્રમણને કારણે મોત

આ પણ વાંચો - ઓડિશામાં કોરોના વાઇરસ સામે માનવતા હારી

ઓડિશા સમાજના લોકોમાં દહેશતનો માહોલ

ઓડિશા સમાજના લોકો લાખોની સંખ્યામાં સુરતમાં રહે છે. આ લોકો મોટાભાગે રૂમ્સના કારખાનામાં કામ કરે છે અને ગીચ વિસ્તારમાં રહેતા હોય છે. આવી પરિસ્થિતીમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધારે છે અને જે રીતે છેલ્લા એક અઠવાડિયામાં મોતનો આંકડો સામે આવ્યો છે, તેના કારણે ઓડિશા સમાજના લોકોમાં દહેશતનો માહોલ છે. સમાજના આગેવાનો લુમ્સના કારખાનાઓ અને ઓડિશાવાસીના વિસ્તારમાં જઈ માસ્ક વિતરણ કરી રહ્યા છે. લોકોને વધારે વેક્સિન લેવા માટે જાગૃત કરી રહ્યા છે.

80 ટકા આવા શ્રમિકો છે જેમની ઉંમર 45 વર્ષ કરતા ઓછી

આ અંગે ઓડિશા સમાજના આગેવાન શ્રીકાંત રાઉતે જણાવ્યું હતું કે, ગત એક અઠવાડિયા દરમિયાન 14 લોકોના મોત થયા છે. અનેક લોકો કરોના પોઝિટિવ થઈ રહ્યા છે. અમે લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરી રહ્યા છે. ગત ચાર દિવસ દરમિયાન સચિન વિસ્તારના ઓડિશાના 2,000 લોકોને વ્યક્તિને આપવામાં આવ્યા છે. જ્યારે પાંડેસરાના ઉમિયાનગર ખાતે શાળામાં બે દિવસ દરમિયાન 800 લોકોને વ્યક્તિને અપાયા છે. અમે સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે, વેક્સિન માટે જે સમય મર્યાદા છે, તે વધારવામાં આવે કારણ કે, આઠ લાખ જેટલા ઓડિશા સમાજના લોકોમાં 80 ટકા આવા શ્રમિકો છે. જેમની ઉંમર 45 વર્ષ કરતા ઓછી છે અને પાલિકાએ નોકરી પર આવતા પહેલાં વ્યક્તિને સર્ટિફિકેટ અથવા તો કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કર્યું છે.

આ પણ વાંચો - સુરત શહેર-જિલ્લામાં ગાંજાના ધંધાના નામીચા આરોપી સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી

લુમ્સના કારખાનામાં લોકો માસ્ક પહેરીને જોવા મળતા નથી

શ્રીકાંત રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમે તમામ વિસ્તારોમાં માસ્ક વિતરણ કરી લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે જણાવી રહ્યા છે. હાલ જે આંકડા સામે આવી રહ્યા છે, તેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને લુમ્સના કારખાનામાં લોકો માસ્ક પહેરીને જોવા મળતા નથી. જે લોકો રૂમાલ મારીને ફરી રહ્યા છે, તેને અમે માસ્ક આપીને પહેંરવા માટે અપીલ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.