ETV Bharat / state

શ્રમિકો માટે ટ્રેનની જાહેરાત બાદ સુરત રેલવે સ્ટેશન પર રેપીડ ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો

author img

By

Published : Sep 12, 2020, 1:25 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. જેને લઇ સુરતમાં દરોજ હજારોની સંખ્યામાં શ્રમિકો આવી રહ્યા છે. આ કારણથી આવનારા સમયમાં સુરતમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. જેથી મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન પર કોરોના રેપિડ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

શ્રમિકો માટે ટ્રેનોની જાહેરાત બાદ સુરત રેલવે સ્ટેશન પર રેપીડ ટેસ્ટની સંખ્યામાં વધારો
શ્રમિકો માટે ટ્રેનોની જાહેરાત બાદ સુરત રેલવે સ્ટેશન પર રેપીડ ટેસ્ટની સંખ્યામાં વધારો

સુરતઃ લોકડાઉન સમયે લાખોની સંખ્યામાં પોતાના વતન ગયેલા શ્રમિક ફરી સુરત આવી રહ્યા છે. જેથી સુરતમાં કોરોના પોઝિટિવ કેસમા વધારો થઇ શકે છે તેવું સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં દરોજ હજારોની સંખ્યામા શ્રમિકો સુરત આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં ખાસ શ્રમિક ટ્રેનો થકી પણ લોકો અન્ય રાજ્યોથી સુરત આવી શકે છે. જેથી મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન પર કોરોના રેપિડ ટેસ્ટ કરવાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

શ્રમજીવીઓ ઓડિશા સુરત આવી શકે તે માટે કેન્દ્ર સરકારે ટ્રેનની જાહેરાત કરી છે. આવનાર દિવસોમાં ટ્રેનોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન પર થતા થર્મલ સ્કેનિંગ અને પલ્સ ઓક્સીમીટર તપાસ સાથે રેપિડ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, દરોજ સુરતમાં ચારથી સાડા ચાર હજાર પરપ્રાંતિય શ્રમિકો આવી રહ્યા છે. તે તમામનું રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર પરથી ચેકિંગ કરવામાં આવે છે. જેને લક્ષણ દેખાય છે તેઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. દરોજ 400થી 500 જેટલા લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી બેથી ત્રણ લોકો પોઝિટિવ આવે છે.

શ્રમિકો માટે ટ્રેનોની જાહેરાત બાદ સુરત રેલવે સ્ટેશન પર રેપીડ ટેસ્ટની સંખ્યામાં વધારો
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોથી આવતા શ્રમિકો માટે ખાસ કોલ સેન્ટરની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના માધ્યમથી લોકોને ઝોન વાઇઝ વિભાજિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેમને આઇસોલેશન થવા અંગેની સલાહ આપવામા આવે છે. જો આ 7 દિવસ દરમિયાન કોરોનાના લક્ષણ દેખાય તો ટેસ્ટિંગ કરવવામાં આવશે જો કોરોના પોઝિટિવ દર્દી સારા થઈને આવ્યા હોય અને એન્ટીજન લક્ષણ તેમાં હોય તો તે તરત જ નોકરી પર લાગી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 10 લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકો ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. જેમાં મોટાભાગે ડાઇન અને પ્રિન્ટિંગમાં ઓરિસ્સાના શ્રમિકો કાર્યરત છે. હાલ સરકાર ટ્રેનોની સંખ્યા વધારી આ શ્રમિકો પરત સુરત આવી શકે તેવી વ્યવસ્થા કરી રહી છે. જેના કારણે સુરતમાં કોરોનાના કેસ વધી શકે તેની સંભાવના પાલિકાએ વ્યક્ત કરી છે. જેથી સુરતના રેલવે સ્ટેશન પર રેપીટ ટેસ્ટ કરવાની સંખ્યામાં વધારો કર્યો છે.

સુરતઃ લોકડાઉન સમયે લાખોની સંખ્યામાં પોતાના વતન ગયેલા શ્રમિક ફરી સુરત આવી રહ્યા છે. જેથી સુરતમાં કોરોના પોઝિટિવ કેસમા વધારો થઇ શકે છે તેવું સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં દરોજ હજારોની સંખ્યામા શ્રમિકો સુરત આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં ખાસ શ્રમિક ટ્રેનો થકી પણ લોકો અન્ય રાજ્યોથી સુરત આવી શકે છે. જેથી મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન પર કોરોના રેપિડ ટેસ્ટ કરવાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

શ્રમજીવીઓ ઓડિશા સુરત આવી શકે તે માટે કેન્દ્ર સરકારે ટ્રેનની જાહેરાત કરી છે. આવનાર દિવસોમાં ટ્રેનોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન પર થતા થર્મલ સ્કેનિંગ અને પલ્સ ઓક્સીમીટર તપાસ સાથે રેપિડ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, દરોજ સુરતમાં ચારથી સાડા ચાર હજાર પરપ્રાંતિય શ્રમિકો આવી રહ્યા છે. તે તમામનું રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર પરથી ચેકિંગ કરવામાં આવે છે. જેને લક્ષણ દેખાય છે તેઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. દરોજ 400થી 500 જેટલા લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી બેથી ત્રણ લોકો પોઝિટિવ આવે છે.

શ્રમિકો માટે ટ્રેનોની જાહેરાત બાદ સુરત રેલવે સ્ટેશન પર રેપીડ ટેસ્ટની સંખ્યામાં વધારો
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોથી આવતા શ્રમિકો માટે ખાસ કોલ સેન્ટરની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના માધ્યમથી લોકોને ઝોન વાઇઝ વિભાજિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેમને આઇસોલેશન થવા અંગેની સલાહ આપવામા આવે છે. જો આ 7 દિવસ દરમિયાન કોરોનાના લક્ષણ દેખાય તો ટેસ્ટિંગ કરવવામાં આવશે જો કોરોના પોઝિટિવ દર્દી સારા થઈને આવ્યા હોય અને એન્ટીજન લક્ષણ તેમાં હોય તો તે તરત જ નોકરી પર લાગી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 10 લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકો ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. જેમાં મોટાભાગે ડાઇન અને પ્રિન્ટિંગમાં ઓરિસ્સાના શ્રમિકો કાર્યરત છે. હાલ સરકાર ટ્રેનોની સંખ્યા વધારી આ શ્રમિકો પરત સુરત આવી શકે તેવી વ્યવસ્થા કરી રહી છે. જેના કારણે સુરતમાં કોરોનાના કેસ વધી શકે તેની સંભાવના પાલિકાએ વ્યક્ત કરી છે. જેથી સુરતના રેલવે સ્ટેશન પર રેપીટ ટેસ્ટ કરવાની સંખ્યામાં વધારો કર્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.