સુરતઃ શહેરના પુનાગામ તળાવ પાસે આવેલા ગાય-ભેંસના તબેલામાં એકા-એક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ તબેલામાં રહેતા પરિવારજનોએ પશુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.
આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તબેલામાં મુકેલા સૂકા ઘાસને કારણે તબેલાની બાજુના મકાનમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ગાડીઓ તેમજ મોટર બ્રાઉઝરની મદદ લીધી હતી. જ્યાં કલાકોની જહેમદ બાદ ફાયરે આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગના કારણે તબેલો તથા બાજુનું મકાન આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.