ETV Bharat / state

સુરતમાં સ્પીકર વગાડવા મુદ્દે રકઝકમાં આધેડની હત્યા કરાઈ

author img

By

Published : Nov 17, 2019, 4:12 AM IST

Updated : Nov 17, 2019, 7:21 AM IST

સુરત : ડીંડોલી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલાની ઘટના બની છે. ડીંડોલીના જગદંબા નગર ખાતે રહેતા જગણભાઈ માળી તેમની પત્ની સહિત પુત્ર હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. સોસાયટીમાં જ રહેતા બે યુવકોએ સ્પીકર વગાડવા મુદ્દે જગણભાઈ અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં જગણભાઈ માળીનું મોત થયું હતું.

etv bharat surat

અવિનાશ અને તેનો મિત્ર નજીકમાં આવેલ પોતાના મકાનમાં સ્પીકર વગાડી રહ્યા હતા.જે અંગે જગણભાઈએ ટકોર કરતા બંને વચ્ચે રકઝક થઈ હતી.આ રકઝકમાં અવિનાશ અને તેના મિત્રએ મળી જગણભાઈ સહિત તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં ઘરના મોભી જગણભાઈ માળી નું મોત નીપજ્યું હતું.જ્યારે પુત્ર પ્રવીણ અને માતા ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ હત્યારાઓ ફરાર થયા હતા.

સ્પીકર વગાડવા મુદ્દે રકઝકમાં આધેડ ની હત્યા કરાઈ

સમગ્ર બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ સહિત ડીસીપી,એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી છે.

અવિનાશ અને તેનો મિત્ર નજીકમાં આવેલ પોતાના મકાનમાં સ્પીકર વગાડી રહ્યા હતા.જે અંગે જગણભાઈએ ટકોર કરતા બંને વચ્ચે રકઝક થઈ હતી.આ રકઝકમાં અવિનાશ અને તેના મિત્રએ મળી જગણભાઈ સહિત તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં ઘરના મોભી જગણભાઈ માળી નું મોત નીપજ્યું હતું.જ્યારે પુત્ર પ્રવીણ અને માતા ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ હત્યારાઓ ફરાર થયા હતા.

સ્પીકર વગાડવા મુદ્દે રકઝકમાં આધેડ ની હત્યા કરાઈ

સમગ્ર બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ સહિત ડીસીપી,એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી છે.

Intro:સુરત : ડીંડોલી વિસ્તારમાં એક જ પરિવાર ના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલાની ઘટના બની..ડીંડોલી ના જગદંબા નગર ખાતે રહેતા જગણભાઈ માળી ,તેમની પત્ની સહિત પુત્ર હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા..સોસાયટી માં જ રહેતા બે યુવકોએ  સ્પીકર વગાડવા મુદ્દે ટકોર કરનાર જગણભાઈ અને તેમના પરિવાર પર આ જીવલેણ હુમલો કર્યો હતો.જે ઘટનામાં જગણભાઈ માળી નું મોત થયું.હત્યાની ઘટના બાદ ડીંડોલી પોલીસ સહિત ડીસીપી ,એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા.જ્યાં હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી.


Body:ડીંડોલી જગદંબા નગર ખાતે રહેતા જગણભાઈ માળી અને પુત્ર પ્રવીણ સહિત માતા જયશ્રીબેન પર નજીકમાં જ રહેતા અવિનાશ અને તેના સાગરીત દ્વારા પથ્થર તેમજ સ્પીકર વડે ઘા કરી હુમલો કરી દેવામાં આવ્યો હતો.અવિનાશ અને તેનો મિત્ર નજીકમાં આવેલ પોતાના મકાનમાં સ્પીકર વગાડી રહ્યા હતા,જે અંગે જગણભાઈએ ટકોર કરવા જતાં બંને રકઝક થઈ હતી.જ્યાં બાદમાં અવિનાશે જોઇ લેવાની ધમકી પણ આપી હતી.જ્યાં બાદમાં સાંજના સમય દરમ્યાન અવિનાશ અને તેના મિત્રએ મળી જગણભાઈ સહિત તેમના પરિવાર પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.ઘટના માં  ઘરના મોભી જગણભાઈ માળી નું મોત નીપજ્યું હતું.જ્યારે પુત્ર પ્રવીણ અને માતા ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.ઘટના બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.Conclusion:જ્યાં બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ સહિત ડીસીપી,એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા જુદી જુદી ટિમો બનાવી કામે લગાડી હતી.
Last Updated : Nov 17, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.