ETV Bharat / state

સુરતમાં મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને અપાઇ વિના મૂલ્યે રસી

author img

By

Published : Jun 15, 2021, 9:30 AM IST

Updated : Jun 15, 2021, 10:24 AM IST

સુરતમાં મહાનગરપાલિકા(Corporation surat) અને સામાજિક સંસ્થા (Social organization) દ્વારા કોરોના મહામારી સામે લડવા દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી જેમા વિના મૂલ્યે વેક્સિનેશન કાર્યક્રમનું (Vaccination Program)યોજન કરાયું હતું.

સુરતમાં મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને અપાઇ વિના મૂલ્યે રસી
સુરતમાં મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને અપાઇ વિના મૂલ્યે રસી
  • સુરતમાં દિવ્યાંગો માટે યોજાયો વેક્સિનેશન કાર્યક્રમ
  • દિવ્યાંગો માટે કરાઇ વિશેષ વ્યવસ્થા
  • રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ દિવ્યાંગોમને રસી અપાઇ

સુરતઃ સામાજિક સંસ્થાઓ દ્વારા સુરત મહાનગરપાલિકાને દિવ્યાંગો માટે વેક્સિનેશન કાર્યક્રમ (Vaccination Program)યોજવા અપીલ કરાઇ હતી, ત્યારે આજરોજ શહેરના અલગ-અલગ ચાર સ્થળે દિવ્યાંગો માટે વિના મૂલ્યે યોજાયો હતો. તમામ દિવ્યાંગોએ સ્થળ પર પહોંચીને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી મુકાવી હતી.

આ પણ વાંચોઃ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ

વેક્સિનેશને લેઇને દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

આયોજક રૂપીન પચીગરએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના સહયોગથી આજે દિવ્યાંગો માટે વિના મૂલ્યે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનમાં અલગ-અલગ સેન્ટર પર વેક્સિનેશન કાર્યક્રમ(Vaccination Program) શરૂ કરવામાં આવ્યા છે. જેને પગલે વેક્સિન લેવા માટે દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સુરતમાં મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને અપાઇ વિના મૂલ્યે રસી

આ પણ વાંચોઃ વેક્સિનેશન કાર્યક્રમ 161 સેન્ટર્સ પર થશે, જાણો ક્યા પ્રધાન ક્યાં હાજર રહેશે

દિવ્યાંગો માટે વિશેષ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.પ્રદીપ ઉમરીગરએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં દિવ્યાંગો માટે 4 સ્થળે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારના આગોતરા રજિસ્ટ્રેશનની ઝંઝટથી મુક્તિ આપવામાં આવી છે. શહેરમાં જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ, ગાંધી સ્મૃતિ ભવન, બેગમવાડી અને કતારગામમાં સમસ્ત પાટીદાર હોલમાં દિવ્યાંગ નાગરિકો માટે વિશેષ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

  • સુરતમાં દિવ્યાંગો માટે યોજાયો વેક્સિનેશન કાર્યક્રમ
  • દિવ્યાંગો માટે કરાઇ વિશેષ વ્યવસ્થા
  • રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ દિવ્યાંગોમને રસી અપાઇ

સુરતઃ સામાજિક સંસ્થાઓ દ્વારા સુરત મહાનગરપાલિકાને દિવ્યાંગો માટે વેક્સિનેશન કાર્યક્રમ (Vaccination Program)યોજવા અપીલ કરાઇ હતી, ત્યારે આજરોજ શહેરના અલગ-અલગ ચાર સ્થળે દિવ્યાંગો માટે વિના મૂલ્યે યોજાયો હતો. તમામ દિવ્યાંગોએ સ્થળ પર પહોંચીને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી મુકાવી હતી.

આ પણ વાંચોઃ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ

વેક્સિનેશને લેઇને દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

આયોજક રૂપીન પચીગરએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના સહયોગથી આજે દિવ્યાંગો માટે વિના મૂલ્યે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનમાં અલગ-અલગ સેન્ટર પર વેક્સિનેશન કાર્યક્રમ(Vaccination Program) શરૂ કરવામાં આવ્યા છે. જેને પગલે વેક્સિન લેવા માટે દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સુરતમાં મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને અપાઇ વિના મૂલ્યે રસી

આ પણ વાંચોઃ વેક્સિનેશન કાર્યક્રમ 161 સેન્ટર્સ પર થશે, જાણો ક્યા પ્રધાન ક્યાં હાજર રહેશે

દિવ્યાંગો માટે વિશેષ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.પ્રદીપ ઉમરીગરએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં દિવ્યાંગો માટે 4 સ્થળે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારના આગોતરા રજિસ્ટ્રેશનની ઝંઝટથી મુક્તિ આપવામાં આવી છે. શહેરમાં જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ, ગાંધી સ્મૃતિ ભવન, બેગમવાડી અને કતારગામમાં સમસ્ત પાટીદાર હોલમાં દિવ્યાંગ નાગરિકો માટે વિશેષ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

Last Updated : Jun 15, 2021, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.